Saturday, August 13, 2016

અંગદાન

સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરવાનું ચૂકશો નહિ.

એક અતિ ધનવાન શેઠ પાસે અમૂલ્ય કાર હતી. આ કાર સોનાની હતી અને અમૂલ્ય હીરા-મોતી-માણેકથી શણગારેલી હતી. એકદિવસ શેઠે કારની દફનવિઘીનો મોટો કાર્યક્રમ રાખ્યો. શહેરના તમામ લોકોને આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું. લોકોને પણ એ નહોતું સમજાતું કે શેઠ કરોડોની કિંમતની મૂલ્યવાન કારને દફન કરીને બરબાદ કેમ કરી રહયા છે ! તમાશો જોવા માટે બધા લોકો ભેગા થયા.

શેઠે એક ખૂબ ઊંડા ખાડામાં કારને ઉતારાવી. હવે માત્ર ઉપર માટી નાખવાની વાર હતી. ત્યાં ઉપસ્થિત તમામ લોકોને આવી અમૂલ્ય કારને દફન કરનાર શેઠની મુર્ખામી પર ગુસ્સો આવી રહ્યો હતો. શેઠના એક નજીકના મિત્રથી નાં રહેવાયું એટલે એણે શેઠને પૂછ્યું, "તમે કારને બરબાદ કેમ કરી રહ્યા છો ? કાર તો ચાલુ હાલતમાં છે તો પછી દફનવિઘી કેમ ?"

શેઠે કહ્યું, "મારી ઉમર અને બીમારી જોતા મને એવું લાગે છે કે હું હવે થોડા સમયનો જ મહેમાન છું. આ કારે મારો ખુબ સાથ આપ્યો છે અને મેં પણ એને જીવની જેમ સાચવી છે એટલે હું ઇચ્છું છું કે મારા મૃત્યુ બાદ આ કાર મારી સાથે આવે. હું કારની દફનવિધી એટલા માટે કરું છું જેથી મારા મૃત્યુ બાદ હું એનો ઉપયોગ કરી શકું".

મિત્રએ કહ્યું, "શેઠ, તમે કેવી મૂરખ જેવી વાત કરો છો. આ ગાડી મૃત્યુ પછી તમારી સાથે થોડી આવવાની છે કે એ તમને કામમાં લાગે? ગાડીને દફન કરવાને બદલે કોઈ જરૂરિયાતવાળાને આપો તો એ એનો ઉપયોગ કરી શકે અને જીવનભર તમને યાદ પણ કરે".

શેઠે બધા લોકોને સંબોધીને કહ્યું, "બસ, આ સમજાવવા માટે જ મેં તમને બધાને ભેગા કર્યા છે. મારે પણ તમને એ જ કહેવું કે મૃત્યુ પછી તમારા શરીરના અંગો તમને શું કામ આવવાના છે ? આવા તંદુરસ્ત અને અમૂલ્ય અંગોનો નાશ કરવાના બદલે જો કોઈ જરૂરિયાતવાળાને દાનમાં આપીએ તો જતા જતા પણ કોઈને નવુજીવન આપવામાં યશભાગી બની શકીએ.

મિત્રો, વિશ્વમાં અંગદાનનાં અભાવે દર વર્ષે 5 લાખ લોકો મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે 1લાખ લોકો જરૂરી અંગો દાનમાં ના મળવાને કારણે મૃત્યુ પામે છે. આપણે ત્યાં 10 લાખ લોકોએ એકલ-દોકલ લોકો માંડ અંગદાન કરે છે.

આજે વિશ્વ અંગદાન દિવસ છે. અંગદાનનો સંકલ્પ કરીને બીજાને જીવનદાન આપવાનું સદકાર્ય કરવા જેવું છે.

No comments:

Post a Comment