Thursday, December 29, 2016

કોઈક ની દિકરી ને દિકરી

ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે લૂંટવાના ગામની તપાસમાં નીકળ્યો છે. રસ્તામાં તરસ લાગી. ગળું સુકાવા માંડ્યું. એક બાઈને કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું, 'બેટા! દીકરી! મને પાણી પાઈશ?'

બાઈ બોલી, 'અરે બાપુ! પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.' પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ. ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને જમાડ્યો.
બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ 'બાપ' અને 'દીકરી' આ બે શબ્દોએ તેને ઓગાળી નાખ્યો. તેનાથી રે'વાણું નઈ અને બોલાઈ ગયું, 'દીકરી, આજ રાતે હું મારા ભેરુને લઈને આ ગામ લૂંટવા આવવાનો છું. તેં મને 'બાપ' કીધો. હવે તું મારી 'દીકરી' છો. તારા ઘરની બારે ગોખલે બે દીવા મૂકજે. તારું ઘર કોઈ નઈ લૂંટે.

રાતે ગામના ચોકમાં હાકલ પડી. બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા. પરંતુ જ્યાં જ્યાં જાય ત્યાં ઘરે ઘરે બે દીવા તેમના જોવામાં આવ્યા. મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.

બહારવટિયો દીકરીના ઘરે ગયો અને કહ્યું, 'દીકરી! મેં તો તને તારા ઘરની બાર બે દીવા મૂકવાનું કીધું'તું. તેં આ શું કર્યું?'

દીકરી બોલી, 'બાપુ! દીકરીનું સાસરું બાપથી લુટાય?'

'દીકરીનું સાસરું' આટલું સાંભળતા તો એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો. બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો. એટલું જ તેનાથી બોલાણું, 'દીકરી! તારા જેવી ભગવાને મને એક દીકરી આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.'
🙏નસીબદાર ને ત્યાં દિકરી હૉય, દિકરા હૉય તો ચિંતા ન કરશો, કોઈક ની દિકરી ને દિકરી બનાવી ને લાવવાની હોય 🙏

Friday, December 16, 2016

Sadar PATEL

યરવડા જેલમાં ગાંધીજી, સરદાર અને બીજા કેટલાક કાર્યકરો બેઠા બેઠા જુદા જુદા વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં ભારત સ્વતંત્ર થયા પછી દેશનો વહીવટ કેમ ચલાવાવો એ મુદો આવ્યો. ભારત સ્વાયત થયા પછી ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની વાતો સાંભળી રહ્યા હતા.

ગાંધીજીએ સરદારને પુછ્યુ, "વલ્લભભાઇ, આ સ્વતંત્ર ભારતની સરકારમાં તમને ક્યુ ખાતુ આપીશુ ?" ગાંધીજી સહીત બધાને સરદારનો જવાબ સાંભળવાની ઇચ્છા હતી બધા સાવધાન થઇ ગયા. સરદારે ખુબ સહજતાથી કહ્યુ, "બાપુ સ્વરાજમાં હું તો ચીપિયો અને તૂમડી લઇશ." (મલતબ કે સન્યાસી બનીશ) સરદાર સાહેબની આ વાત સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા.

સરદારે મજાકમાં કહેલી આ વાતને એમણે સ્વરાજ મળ્યા પછી સાચી સાબિત કરીને બતાવી. સમગ્ર દેશ જેને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હોય, 15 પ્રાંતિક સભાઓમાંથી 12 પ્રાંતિક સભાઓ પણ સરદારના શીરે જ રાજમુટુક મુકવાની દરખાસ્ત રજુ કરતી હોય એવા સમયે હસતા હસતા વડાપ્રધાન પદ કોઇ બીજાને આપી દે એના જેવો મોટો વૈરાગી બીજે ક્યાં જોવા મળે?

સરદાર સાહેબના અવસાન પછી એમની અંગત મિલ્કતોમાં 4 જોડી કપડા, થોડા વાસણો અને માત્ર 237 રૂપિયાની બેંક બેલેન્સ હતી (આ રકમ બધા જુદી જુદી બતાવે છે પણ 250 રૂપિયાથી વધતી નથી) આનાથી મોટો સન્યાસી બીજો ક્યો હોય ?

સરદારના નામે કોઇ મકાન કે જમીનનો નાનો ટુકડો પણ નહોતો. અવસાન બાદ અંતિમ ક્રિયા પણ સામાન્ય માણસનો જ્યાં અગ્નિસંસ્કાર થાય ત્યા જ કરવાની એણે સુચના આપી હતી. સરદાર કહેતા કે અવસાન બાદ મારા નામની સમાધી બને અને દેશની થોડી જમીન મારા નામે દબાય એ હુ બીલકુલ નથી ઇચ્છતો. 562 રજવાડાઓને એક કરીને આજના અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર સાહેબ તો ચક્રવર્તિ સન્યાસી હતા.

દેશ માટે પોતાનું તન,મન અને ધન સર્વસ્વ અર્પણ કરનાર આ મહાપુરૂષની ગરિમા જાળવવામાં આપણે બધા સદંતર નિષ્ફળ ગયા છીએ. મેલી મુરાદના વામણા અને નફ્ફટ રાજકારણીઓએ સરદારની પ્રતિભાને ભૂંસી નાંખવાના પુરા પ્રયત્નો કર્યા છે પણ આ સૂર્યના તેજને કેવી રીતે ઢાંકી શકાય ?

સરદાર સાહેબે 15મી ડીસેમ્બર 1950ના રોજ વિદાય લીધી. એના 4 વર્ષ બાદ 1954માં મૌલાના આઝાદ મૃત્યુ પામ્યા. મૌલાનાના અવસાનના બીજા મહીને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદભવનમાં એમનું તૈલીચિત્ર મુકવા માટે સંસદસભ્યોને વિનંતી કરી. આ સમયે ગ્વાલિયરના મહારાજા સિંધિયા ત્યાં હાજર હતા. મૌલાનાનું તૈલી ચિત્ર મુકવાની દરખાસ્ત થઇ ત્યારે એમનું ધ્યાન ગયુ કે સંસદના સભાખંડમાં અખંડભારતના નિર્માતા સરદાર પટેલનું તૈલી ચિત્ર તો છે જ નહી !

મહારાજા સિંધિયા સીધા જ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદને જઇને મળ્યા અને બધી વાત કરી. સરદારનું ચિત્ર સંસદભવનમાં હોવુ જ જોઇએ એવી મહારાજાની વાતને રાષ્ટ્રપતિએ પણ સ્વિકારી. સરદારે જેમની પાસેથી એમનું રાજ્ય ભારતસંઘને અર્પણ કરાવ્યુ હતુ એવા મહારાજાએ પોતાના ખર્ચે તાત્કાલિક સરદારની પ્રતિભાને છાજે એવુ તૈલીચિત્ર તૈયાર કરાવ્યુ. ડો.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે આ ચિત્રને ખુલ્લુ મુકવામાં આવ્યુ એ વખતે ગ્વાલિયરના મહારાજાએ સરદારને અંજલી આપતા કહ્યુ હતુ કે " આ એ માણસ છે જેને હું એક સમયે નફરત કરતો હતો, આ એ માણસ છે જેનાથી પછી હું ડરતો હતો, આ એ માણસ છે જેના આજે હું વખાણ કરુ છુ અને હું એને ભરપુર પ્રેમ કરુ છું."

આ યુગપુરુષને દેશનું સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' આપવામાં પણ આપણે કેટલા મોડા પડ્યા. જવાહરલાલ અને રાજાજીને જે સન્માન એમની હયાતીમાં જ આપ્યુ એ સન્માન ભારતમાના આ લાડકા દિકરાને એના અવસાનના 41 વર્ષ બાદ છેક 1991માં એનાયત કરવામાં આવ્યુ. ભારતરત્નથી ફીલ્મના અભિનેતાઓને સન્માનિત કરવાનું આપણને યાદ આવ્યુ પણ સરદારને સાવ ભૂલી જવામાં આવ્યા કે ભૂલાડી દેવામાં આવ્યા. જો કે સરદાર જેવી પ્રતિભા કોઇ સન્માનની મોહતાજ નથી.

સરદાર કોઇ જ્ઞાતિ કે સમાજના નહિ પરંતું ભારત દેશના હતા, છે અને રહેશે. સરદાર સાહેબને એમની 66મી પુણ્યતિથીએ કોટી કોટી વંદન.

સરદાર વાણી
જે પ્રજા પોતાના વીર પુરુષોની કદર કરી નથી જાણતી તે જેને વીરતાભર્યુ કહી શકાય એવુ કશુ નહી કરી શકે.

Friday, November 11, 2016

યુવાનોને પ્રેરણારુપ 'અલખ જોલી'


યુવાનોને પ્રેરણારુપ 'અલખ જોલી'
---------------------
મોરબીમાં રાજનગર -પંચાસર રોડ વિસ્તાર મા છેલ્લા ૧૦ વષઁથી અલખની જયોત જગાવી ગૌમાતાની સેવા કરતી નાના શિશુથી માંડી વડીલ સુધીની ટોળી અદ્વિતીય છે. મંગળ પ્રભાત હોય કે પૂજાનું સંધ્યા ટાણુ એ સમયે 'સંત દેવીદાસ' ના નાદ સાથે ઘર ઘર ફરી તેઓ રોટલી રોટલા ઉઘરાવી રહેલ છે. ઉનાળો હોય કે શિયાળાની કડકડતી ઠંડી અને ચોમાસાનો સમય પણ ક્યારેય ચૂક્યા વગર ગાય ની સેવા કરે છે. એકત્ર થયેલ બધુંજ મોરબીની પ્રખ્યાત ' યદુનંદન' ગૌશાળાની ગાયો માટે પહોંચાડે છે. લુલી લગડી અંધ અપંગ ગાયો માટેનુ આ કાયઁ ૧૦ વષઁ પૂણઁ કરતા ગઈકાલે અેક ડાયરો સંત સરવાણી કાર્યક્રમ યોજાયેલ જેમાં ઉપલેટાના લોકસાહિતયકાર શ્રી દેવરાજભાઇ ગઢવી નો સુંદર મનનીય સંગીત ભજનો હતા, તેનો મને થોડી પળોનો લાભ મળ્યો.
કહેવાય છે કે સારા કામ કરનારને ભગવાન પણ મદદ કરે છે. આથી આ સુંદર કામમાં વરસાદની ઋતુમાં પણ ક્યારેય ઝોળી ભિંજાય નથી.
કોણ કહે છે યુવાનો ગેરમાગેઁ છે, ખરેખર સાચા માગઁદશઁક અને રોલ મોડેલ ખૂટે છે. અભિનંદન છે સત્ દેવીદાસ મંડળ કાયઁકતાઁ અને તેના લીડર શ્રી રામજીભાઇ અને શ્રી વલલભભાઇ

Wednesday, October 5, 2016

શ્વેતાએ

મુંબઈમાં 'કમાટીપુરા' દેહના સોદા માટેનો કુખ્યાત વિસ્તાર છે. આ વિસ્તારની અનેક મહિલાઓ મજબૂરીની મારી દેહના વેપાર દ્વારા જીવનનિર્વાહ કરે છે. આ વિસ્તારની એક સેક્સવર્કરને ત્યાં દીકરીનો જન્મ થયો. નાની છોકરીને જન્મતાની સાથે અનેક સમસ્યાઓ ભેટમાં મળી. શાળાએ જવાનું ન હોય એટલે આખો દિવસ ખોલીમાં પડી રહેવાનું અને માતાના શરીરને ચૂંથવા આવનારા ગ્રાહકોને લાચાર બનીને રોજ જોવાનું આ છોકરીના નસીબમાં લખેલું. છોકરીને આ મંજૂર નહોતું એટલે એણે પોતે જ પોતાના ભાગ્યવિધાતા બનીને નસીબ લખવાનું નક્કી કર્યું.

આ છોકરીએ સંકલ્પ કર્યો કે મારે ભણીગણીને મારી જિંદગી સુધારવી છે અને પછી મોટા થઈને સેક્સવર્કરના સંતાનોના અભ્યાસ માટે કામ કરવું છે. છોકરીના આગ્રહના કારણે એને નજીકની શાળામાં દાખલ કરવામાં આવી. છોકરી પીડાને ઘોળીને પી ગઈ અને પોતાની બધી જ શક્તિ અભ્યાસમાં કેન્દ્રિત કરી.

છોકરીએ યુવાનીમાં કદમ માંડ્યા અને એના પર સાવકા બાપે જ નજર બગાડી. બાપ દ્વારા જ થતા શારીરિક શોષણની વાત કોને કરવી ? ના સહેવાય અને ના રહેવાય એવી સ્થિતિમાં આ છોકરીએ થોડો સમય વિતાવ્યો પછી 'ક્રાંતિ' નામની એક એનજીઓનો સંપર્ક કર્યો. સંસ્થાના કાર્યકર્તાઓ છોકરીની કહાની સાંભળીને કંપી ઉઠ્યા. આટલા આઘાતોમાંથી પસાર થવા છતાં આ યુવતીનો આત્મવિશ્વાસ બુલંદ હતો.

સંસ્થાની સહાયથી એણે અભ્યાસ આગળ વધાર્યો. દિવસ રાત સખત મહેનત કરી. વિદેશમાં અભ્યાસ માટેની પરીક્ષાઓની તૈયારી પણ કરી. છોકરીને અમેરિકા ભણવા જવા માટેની સ્કોલરશિપ મળી. રેડલાઇટ વિસ્તારની એક સામાન્ય છોકરી અભ્યાસ કરવા માટે અમેરિકા પહોંચી ગઈ. અભ્યાસ માટે એણે સાયકોલોજી વિષય પસંદ કર્યો જેથી એ પીડિત બાળકોની વધુમાં વધુ મદદ કરી શકે, બાળકોને સમજીને એની સેવા કરી શકે.

દુઃખો સામે બાથ ભીડનાર આ છોકરીનું નામ છે, શ્વેતા કૂટ્ટી. શ્વેતા રંગે ભલે કાળી હોય પણ એણે એની પ્રતિભા અને હિંમત દ્વારા ધોળિયાઓને આશ્વર્ય ચકિત કરી દીધા. રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેસન્સ ) દ્વારા સમસ્યાઓ સામે લડાઈ લડીને વિજય પ્રાપ્ત કરનાર, ભારતની આ બહાદુર દીકરીને એવોર્ડ માટે પસંદ કરવામાં આવી.

મિત્રો, આપણા જીવનમાં એકાદ નાની સમસ્યા આવે તો પણ આપણે આપણી આ નાની સમસ્યાનાં રોદણાં રોઈ રોઈને એને એમ્પલીફાઇ કરીએ છીએ. શ્વેતાએ સમસ્યાઓને એમ્પલીફાઇ કરવાને બદલે એની ક્ષમતાઓને એમ્પલીફાઇ કરી. પરિણામ તમારી નજર સામે છે. ફરિયાદો કરવાનું બંધ કરીને ક્ષમતાઓને ઉજાગર કરીએ.

આલોક સાગર

આલોક સાગર, દિલ્હીના એક શિક્ષિત અને ધનવાન પરિવારમાં જન્મેલો બાળક હતો. એના પિતા IRS ઓફિસર હતા અને માતા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા. આલોક ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1973માં એણે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું અને પછી આ જ યુનિવર્સીટીમાંથી એણે M.Tech. કર્યું. આલોક પીએચડી કરવા માટે અમેરિકા ગયા. પીએચડી પૂરું કર્યા બાદ ડો.આલોક સાગર ઇચ્છે તો અમેરિકામાં કારકિર્દીની સુવર્ણ તક હતી પણ એને દેશ માટે કંઈક કરવું હતું એટલે ભારત પાછા આવી ગયા.

IIT દિલ્હીમાં જ પ્રોફેસર બની ગયા. ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા કેટલાય વિદ્વાનો ડો. આલોકના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. IITના અતિ તેજસ્વી વિદ્યાર્થીઓને ભણાવે પણ દિલ તો કંઈક જુદી જ ઝંખના કરતુ હતું. ડો. આલોક દેશના સાવ સામાન્ય અને ગરીબ લોકોની સેવા કરવા ઇચ્છતા હતા. 1982માં એમણે પ્રોફેસર તરીકે રાજીનામુ આપી દીધું અને આ ઓલિયો નીકળી પડ્યો ગરીબોની સેવા કરવા.

મધ્યપ્રદેશના બેતુલ અને હૉશનગાબાદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી. 50000થી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની પણ અદભૂત સેવા કરી. દેશનો એક અતિ શિક્ષિત માણસ છેલ્લા 34 વર્ષથી આદિવાસી બનીને આદિવાસીઓની સેવા કરી રહ્યો છો. સાયકલ પર જે માણસના આપ દર્શન કરી રહ્યા છો એ ફકીર જેવો લાગતો માણસ ડો.આલોક સાગર છે.

આપણી પાસે તો સામાન્ય પદવી અને નાની નોકરી હોય તો પણ અહંકાર આભને આંબતો હોય છે અને આ માણસ એની વિદ્વતાને એકબાજુ મૂકીને કામ કરી રહ્યો છે. આ માણસ આટલો વિદ્વાન છે એની કોઈને ખબર જ પડવા નથી દીધી. ક્યારેય એણે કોઈને પોતાના ઉચ્ચ અભ્યાસની કે નોકરીની વાત કરી જ નથી. આતો પોલીસને આ માણસની કામગીરી શંકાસ્પદ લાગતા તપાસ કરી તો આ બધી બાબત જાણવા મળી.

આજના યુગમાં લોકોને સેવા કરવાને બદલે પોતાની હોંશિયારી અને વિદ્વતા બતાવવાનો નશો ચડ્યો છે ત્યારે વિદ્વતાને ભોમાં ભંડારીને સેવા કરતા ડો. આલોક સાગર જેવા સંતપુરુષને વંદન.

Tuesday, October 4, 2016

લગ્ન પછી આપણો

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.

યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે. પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, "હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે. આ માટે કોઇ ખાસ કારણ ?"

પત્નિએ કહ્યુ, "તમે કોઇ નોંધ લીધી. લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે. જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે. બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું"

એ ભાઇએ એમના પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, "તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. અડધો એના સાસુ સસરાનો થઇ ગયો છે. પણ મારે તને એક વાત પુછવી છે. તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે ? "
છોકરાની મમ્મી બોલી, "ના બિલકુલ નહી, એ તો સ્વભાવની બહુ સારી છે મારુ અને તમારુ બહુ સારુ ધ્યાન રાખે છે."છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ, "ગાંડી કોઇ બીજાની દિકરી "પુરેપુરી આપણી થઇ જતી હોય તો પછી આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો થાય એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય ?"

મિત્રો, એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી,
માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો ઉભા નહી થાય.


Sent from my iPhone

Saturday, October 1, 2016

किसान का बैल कुएँ में गिर गया।

🌟
एक लघु कथा

ये कहानी आपके जीने की सोच बदल देगी !

एक दिन एक किसान का बैल कुएँ में गिर गया।
वह बैल घंटों ज़ोर -ज़ोर से रोता रहा और किसान सुनता रहा और विचार करता रहा कि उसे क्या करना चाहिऐ और क्या नहीं।

अंततः उसने निर्णय लिया कि चूंकि बैल काफी बूढा हो चूका था अतः उसे बचाने से कोई लाभ होने वाला नहीं था और इसलिए उसे कुएँ में ही दफना देना चाहिऐ।

किसान ने अपने सभी पड़ोसियों को मदद के लिए बुलाया सभी ने एक-एक फावड़ा पकड़ा और कुएँ में मिट्टी डालनी शुरू कर दी।

जैसे ही बैल कि समझ में आया कि यह क्या हो रहा है वह और ज़ोर-ज़ोर से चीख़ चीख़ कर रोने लगा और फिर अचानक वह आश्चर्यजनक रुप से शांत हो गया।

सब लोग चुपचाप कुएँ में मिट्टी डालते रहे तभी किसान ने कुएँ में झाँका तो वह आश्चर्य से सन्न रह गया..

अपनी पीठ पर पड़ने वाले हर फावड़े की मिट्टी के साथ वह बैल एक आश्चर्यजनक हरकत कर रहा था वह हिल-हिल कर उस मिट्टी को नीचे गिरा देता था और फिर एक कदम बढ़ाकर उस पर चढ़ जाता था।

जैसे-जैसे किसान तथा उसके पड़ोसी उस पर फावड़ों से मिट्टी गिराते वैसे -वैसे वह हिल-हिल कर उस मिट्टी को गिरा देता और एक सीढी ऊपर चढ़ आता जल्दी ही सबको आश्चर्यचकित करते हुए वह बैल कुएँ के किनारे पर पहुंच गया और फिर कूदकर बाहर भाग गया।

ध्यान रखे आपके जीवन में भी बहुत तरह से मिट्टी फेंकी जायेगी बहुत तरह की गंदगी आप पर गिरेगी जैसे कि,

आपको आगे बढ़ने से रोकने के लिए कोई बेकार में ही आपकी आलोचना करेगा
कोई आपकी सफलता से ईर्ष्या के कारण आपको बेकार में ही भला बुरा कहेगा, कोई आपसे आगे निकलने के लिए ऐसे रास्ते अपनाता हुआ दिखेगा जो आपके आदर्शों के विरुद्ध होंगे..

ऐसे में आपको कुएँ में ही नहीं पड़े रहना है बल्कि साहस के साथ हर तरह की गंदगी को गिरा देना है और उससे सीख ले कर उसे सीढ़ी बनाकर बिना अपने आदर्शों का त्याग किये अपने कदमों को आगे बढ़ाते जाना है।
सकारात्मक रहे.. सकारात्मक जिए!

इस संसार में..
सबसे बड़ी सम्पत्ति "बुद्धि "
सबसे अच्छा हथियार "धैर्य"
सबसे अच्छी सुरक्षा "विश्वास"
सबसे बढ़िया दवा "हँसी" है
और आश्चर्य की बात कि "ये सब निशुल्क हैं "

सदा मुस्कुराते रहें। सदा आगे बढ़ते रहें..

Friday, September 23, 2016

ઇજિપ્તના એક નાનકડા ગામમાં

ઇજિપ્તના એક નાનકડા ગામમાં સામાન્ય પરિવારમાં જન્મેલો એક બાળક માત્ર 3 વર્ષની ઉંમરે અંધ થયો. હજુ તો દુનિયાને જોવાની સમજ માંડ માંડ પડી ત્યાં ભગવાને એની બંને આંખો છીનવી લીધી. પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ સામાન્ય હતી એટલે યોગ્ય સારવાર પણ શક્ય નહોતી.

બાળક જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ જીવન પ્રત્યેની નકારાત્મકતા વધતી ગઈ. એક્સમય એવો આવ્યો કે એણે દુનિયા છોડી દેવાનો વિચાર કર્યો. કોઈ જગ્યાએ આશાનું એકપણ કિરણ દેખાતું નહોતું આથી બધી સમસ્યાઓથી મુક્ત થવાનો એક માત્ર માર્ગ આત્મહત્યા જ છે એવું એમને લાગતું હતું.

આ છોકરો આત્મહત્યા કરવા નીકળ્યો અને એની એક સૂફી સંત સાથે આકસ્મિક મુલાકાત થઇ. સૂફી સંતે આ છોકરાને ઘણી વાતો કરી જેનાથી જીવનને જોવાનો એનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. અનેક સમસ્યાઓ હોવા છતાં જીવનને મન ભરીને માણવાના સંકલ્પ સાથે આ છોકરો ઘરે પાછો આવ્યો.

જે છોકરાએ એક વખતે આત્મહત્યા કરવાનો નિર્ણય કરેલો એ છોકરો આજે ઇજિપ્તનું ગૌરવ છે. આ છોકરાનું નામ છે ડો. તાહા હુસૈન. ડો.તાહા હુસૈન સાહિત્યક્ષેત્રે ખુબ જાણીતું નામ છે એમની આત્મકથા "THE DAYS" અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે છે. આપણને એક વિષયમાં પીએચડીની પદવી મેળવતા નાકે દમ આવી જાય જ્યારે ડો.તાહા અંધ હોવા છતાં 14 વિષયમાં પીએચડીની પદવી ધરાવે છે. એમણે ઇજિપ્તના શિક્ષણમંત્રી તરીકે પણ અદભૂત સેવાઓ આપી હતી. 36થી વધુ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય એવોર્ડસથી એમને સન્માનિત કર્યા છે. યુનાઇટેડ નેસન્સે પણ એમની સેવાઓને ધ્યાને લઈને માનવ અધિકાર રક્ષણનાં કાર્ય માટે ડો.તાહાને સન્માનિત કર્યા છે.

મિત્રો, આત્મહત્યા કરવા નીકળેલા ડો.તાહા ક્યાં પહોંચી ગયા. માત્ર એક સારો વિચાર માણસને ખીણમાંથી ઉપાડીને શિખર સુધી પહોંચાડે છે અને એક નબળો વિચાર માણસને શિખર પરથી ખીણમાં ધકેલે છે. આપની આસપાસ સારા વિચારો પીરસનાર મિત્રો રાખજો જે તમને સતત ચેતાનવંતા રાખે.

Wednesday, September 14, 2016

रुक्षमणी भक्ति

આજથી 60 વર્ષ પહેલાની આ વાત છે. ઉત્તરપ્રદેશ તરફથી મુંબઇ આવી રહેલી એક ટ્રેનમાં હજારો મુસાફરોની સાથે 22 વર્ષની એક બહેરી અને મૂંગી યુવતી પણ હતી. આ યુવતી પતિના ત્રાસથી એવી કંટાળેલી કે ઘર છોડીને ભાગી આવી. ગામડાની અભણ અને અબુધ યુવતીને કયાં જવું એની કોઈ ગતા ગમ નહોતી.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક ભૈયાઓને આ યુવતીની ચિંતા થઇ એમને એવું લાગ્યું કે મુંબઈમાં આ બિચારી વેંચાઈ જશે. યુવતીને યુપીના જ એક માજી જે મુંબઈમાં રહીને બીજાના ઘરના કામ કરતા એની ઘરે આ યુવતીને રાખી. યુવતી બહેરી અને મૂંગી હોવાથી એ શું કહી રહી છે એ સમજવામાં ખુબ તકલીફ પડતી હતી પણ એની વાત પરથી એટલી ખબર પડતી હતી કે આ છોકરીને હવે સાસરિયામાં કે પિયારીયામાં નથી જવું.

માજીએ છોકરીને એમની સાથે રાખી. થોડા સમય પછી એમને પણ આ છોકરી બોજારૂપ લાગવા માંડી. બીજાના ઘરના કામ કરીને ગુજરાન ચલાવતા માજીને આ બહેરી અને મૂંગી, ગાંડા જેવી યુવતીનું ભરણપોષણ ભારે પડતું હતું. માજી જેમને ત્યાં કામ કરવા જતા એ કચ્છી જૈન પરિવારમાં આ યુવતીની વાત કરી. પરિવારના વડીલોએ આ યુવતીને પોતાની ઘરે લાવવાનું નક્કી કર્યું.

બીજા જ દિવસે માજી યુવતીને પોતે જ્યાં કામ કરતા હતા એ પરિવારમાં મૂકી ગયા. મુંબઈમાં વસતા રુકમાણી પરિવારે આ અજાણી યુવતીને પરિવારના નવા સભ્ય તરીકે સ્વીકારી. 22 વર્ષની આ યુવતી આજે 82 વર્ષના માજી થઈ ગયા છે. યુવતીને ઘરમાં લાવનાર પરિવારના વડીલો તો પ્રભુ પાસે જતા રહ્યા છે પરંતુ આ વડીલોની ત્રીજી પેઢી આજે પણ એક સાવ અજાણી સ્ત્રીને દાદીમાંની જેમ આદર અને સન્માન સાથે સાચવે છે. ઘરની વહુઓ પણ આ માજીની પ્રેમપૂર્વક સેવા કરે છે.

થોડા સમય પહેલા માજીને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે ઘરની વહુઓએ ખડે પગે એમની સેવા કરી છે. રુકમાણી પરિવાર કરોડોપતિ પરિવાર છે. જેની સાથે લોહીનો સંબંધ નથી એવા માજીની સારવાર માટે નોકર રાખી શકે પણ એમ કરવાના બદલે અમીર પરિવારની વહુઓએ જાતે જ એમની સેવા કરી. 60 વર્ષ પહેલા આવેલી આ અજાણી યુવતીના નામની કોઈને ખબર નહોતી એટલે એમનું નવું નામ પાડવામાં આવ્યું છે , ભક્તિ. અને એ પરિવારના જ સભ્ય છે એટલે એનું પૂરું નામ છે, ભક્તિ રુકમાણી.

હમણાં મુંબઈમાં પ્રવચન માટે ગયો ત્યારે આ પરિવારની મુલાકાત થઇ. આજે લોકો પોતાના સગા માં-બાપને ઘરમાં રાખવા તૈયાર નથી ત્યારે રુકમાણી પરિવાર છેલ્લા 60 વર્ષથી એક અજાણી સ્ત્રીને ઘરના પરિવારની જેમ સાચવે છે. મેં આ સ્ટોરી ફેસબુક પર લખવાની વાત કરી ત્યારે પરિવારના મોભીએ ખાસ વિનંતી કરી કે ક્યાંય મારું નામ નહિ લખતા.

આ ફોટામાં સૌથી મોટી ઉંમરના સફેદ સાડી પહેરેલા માજી દેખાય છે એ ભક્તિ રુકમાણી છે. કોઈ કહી શકે કે આ બહેન પરિવારનો હિસ્સો નથી !!!!!!

વંદન છે આ પરિવારની ભાવનાને....

Shri Alok Sagar is a man with many accomplishments

Shri Alok Sagar is a man with many accomplishments. He holds a degree in engineering from IIT Delhi, a Masters degree and a Ph.D. from Houston and served as a professor in an IIT, Delhi. Among his many successful students is the ex-governor of RBI, Raghuram Rajan. Alok, after resigning from work has been serving the tribals in remote villages of MP's Betul and Hoshangabad region. He's been living in a remote village named Kochamu since the past 26 years. The village just has a primary school, some 750 tribal residents and doesn't have any electricity or roads. He has planted more than 50000 trees and believes that change can be brought only from the grass-root level. He says, "In India, people are facing so many problems but people are busy proving their intelligence by showing their degrees rather than serving people." I really appreciate the efforts and dedication of Professor Sagar and applaud his work.

Thursday, September 8, 2016

અરુણીમાં સિંહા

આ સત્યઘટના એકવાર વાંચવા માટે અને તમારા બધા મિત્રો સાથે શેર કરવા માટે ખાસ ખાસ ખાસ વિનંતી કરુ છું.

ઉતરપ્રદેશની વતની અરુણીમાં સિંહા વોલીબોલ અને ફુટબોલની નેશનલ પ્લેયર હતી. તા.11 એપ્રિલ 2011ના રોજ અરુણીમાં પદ્માવતી એક્ક્ષપ્રેસ દ્વારા લખનૌથી દિલ્હી જઇ રહી હતી. જનરલ ડબ્બામાં ઘુસેલા કેટલાક ચોરનું ધ્યાન અરુણીમાંએ પહેરેલા સોનાના ચેઇન પર પડ્યુ. ચેઇન ઝૂંટવવા ચોરમંડળીએ પ્રયાસ કર્યો અને અરુણીમાંએ એનો વિરોધ કરતા ચોરોએ અરુણીમાંને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી.

બરાબર એ જ સમયે બાજુના ટ્રેક પરથી બીજી ટ્રેન પસાર થઇ. અરુણીમાંનો એક પગ ગોઠણ નીચેના ભાગથી કપાઇ ગયો અને બીજા પગના હાડકા બહાર આવી ગયા. અરુણીમાંએ મદદ માટે ખુબ બુમો પાડી પણ રાત્રીના અંધકારમાં એનો અવાજ લોકો સુધી પહોંચી જ નહોતો શકતો. આખી રાત એ પીડાથી કણસતી રહી. આંખે અંધારા આવી ગયા અને દેખાતું પણ બંધ થઇ ગયુ. સવારે લોકોનું ધ્યાન પડતા એને નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી.

હોસ્પીટલમાં એનેસ્થેસીયાની સુવિધા નહોતી એટલે ડોકટરો મુંઝાયા કે બેભાન કર્યા વગર સારવાર કેમ કરવી. અરુણીમાંને દેખાતું નહોતું પરંતું બધુ સાંભળી શકતી હતી એટલે એણે ડોકટરોની અંદરઓઅંદરની વાત સાંભળીને કહ્યુ, "મેં અત્યાર સુધી જે પીડા સહન કરી છે એની સામે બીજી બધી જ પીડા કંઇ નથી મને એનેસ્થેસીયા આપ્યા વગર જ સારવાર આપો". ડોકટરોએ છોકરીની હિંમત જોઇને ઓપરેશન કરવાની હિંમત કરી અને એનેસ્થેસિયા વગર એનો એક પગ કાપી નાંખ્યો અને બીજા પગમાં સળીયા નાંખ્યા.

અરુણીમાંને ત્યારબાદ દિલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. બધા કહેતા હતા કે હવે આ છોકરી જીવન કેવી રીતે વિતાવશે ? હોસ્પીટલના બિછાને પડ્યા પડ્યા અરુણીમાંએ એક સંકલ્પ કર્યો 'મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે". જે લોકોએ આ વાત જાણી એ અરુણીમાંને ગાંડી ગણવા લાગ્યા. 4 મહિના બાદ જ્યારે અરુણીમાંને હોસ્પીટલમાંથી રજા મળી તો એ ઘરે જવાને બદલે સીધી જ 1984માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બચેન્દ્રીપાલની ઘરે પહોંચી. પોતાના સંકલ્પની બચેન્દ્રીપાલને વાત કરી. વાત સાંભળીને બચેન્દ્રીપાલની આંખો પણ ભીની થઇ ગઇ. એણે અરુણીમાંને કહ્યુ, "બેટા, તે મનથી તો એરરેસ્ટ સર કરી જ લીધુ છે, હવે તારે માત્ર દુનિયાને એ બતાવવાનું છે."

ઘરે આવીને અરુણીમાંએ પર્વતારોહણની તાલીમ લેવાનું ચાલુ કર્યુ. ખુબ મુશ્કેલી પડે કારણકે એક પગ નકલી હતો અને બીજા પગમાં સળીયા હતા. પણ હારીને બેસી જાય તો એ અરુણીમાં નહી. અનેક સંઘર્ષોની વચ્ચે પણ એણે પ્રયાસો ચાલુ જ રાખ્યા. દુનિયામાં કોઇને વિશ્વાસ નહોતો કે અરુણીમાં એવરેસ્ટ સર કરી શકશે. અનેક મુશ્કેલીઓનો સામનો કરતા કરતા, મૃત્યુ સામે બાથ ભીડીને પણ આ ભડવીર નારીએ તા.21મી મે 2013ના રોજ માઉન્ટ એવરેસ્ટ સર કરીને હોસ્પીટલની પથારી પર જોયેલા સપનાને સાકાર કર્યુ. લોકો મોઢામાં આંગળા નાંખી ગયા. ભારતની એક છોકરીએ અશક્યને શક્ય કરી બતાવ્યુ અને કોઇ વિકલાંગે એવરેસ્ટ સર કર્યુ હોય એવી પ્રથમ ઘટનાનું માન મેળવ્યુ. ત્યારબાદ અરુણીમાંએ વિશ્વના તમામ ઉંચા પર્વતો સર કરીને તીરંગો એ પર્વતો પર લહેરાવવાનો સંકલ્પ કર્યો અને પુરો પણ કર્યો. ગયા વર્ષે ભારત સરકારે દેશની આ શુરવિર દિકરીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત પણ કરી.

મિત્રો, વિકલાંગતા શરીરથી નહિ, મનથી હોય છે. જે માણસ મનથી વિકલાંગ હોય એ શરીરથી ગમે તેટલો મજબુત હોય તો પણ કંઇ ન કરી શકે અને જે માણસ મનથી મજબુત હોય એને સફળ થતા કોઇ શારીરીક વિકલાંગતા ક્યારેય અટકાવી ન શકે.

Saturday, September 3, 2016

અંગત સ્વાર્થ માટે

એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, "આ હિરા નહિ પણ કાચના ટુકડા છે". પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ.

બીજી નોકરાણીએ હરખાતા હરખાતા બધા હિરા ભેગા કરી લીધા. બીજા દિવસે બધા હિરા લઇને એ એક સોનીની દુકાને ગઇ અને કહ્યુ કે મારે આ હિરા વેંચવા છે. સોનીને નોકરાણીના પહેરવેશ પરથી સમજાય ગયુ કે આ હિરા નોકરાણીના તો નહી જ હોય એને ક્યાંકથી મળ્યા હશે અથવા કોઇના ચોર્યા હશે. હિરા અસલી છે કે નકલી એની સોનીને પણ ખબર નહોતી. સોનીએ હિરા હાથમાં લઇને જોયા અને બહાર ફેંકી દીધા. નોકરાણીને કહ્યુ, "બહેન, આ હિરા નહિ કાચના ટુકડા છે આની તો રાતી પાઇ પણ ન આવે". નોકરાણી નિરાસ થઇને ચાલી ગઇ.

નોકરાણીના ગયા પછી સોનીએ બધા હિરા ભેગા કરી લીધા. સોની આ હિરા લઇને હિરાના મોટા વેપારી પાસે ગયો અને વેપારીને હિરા બતાવીને કિંમત કરવા કહ્યુ. વેપારી હિરાનું મૂલ્ય જાણતો હતો આમ છતા હિરા પડાવી લેવા માટે વેપારીએ પણ હિરા ખોટા છે એમ કહીને શેરીમાં ફેંકી દીધા. વેપારીએ જેવા હિરા ફેંક્યા કે એ તુટી ગયા. ભગવાન આ બધી ઘટનના સાક્ષી હતા.

ભગવાને હિરાને પુછ્યુ, "અગાઉ તમને નોકરાણી અને સોનીએ રસ્તા પર ફેંક્યા ત્યારે તમે ના તુટયા પણ આ હિરાના વેપારીએ ફેંક્યા તો પળ્વારમાં જ કેમ તુટી ગયા ?" હિરાઓએ દુ:ખી હદયે કહ્યુ, "પ્રભુ, નોકરાણી અને સોનીએ અમને ફેંકી દીધા એનાથી અમને કોઇ તકલીફ ન પડી પણ આ હિરાના વેપારીએ ફેંક્યા એટલે તુટી ગયા. પહેલા બંનેને તો અમારા મૂલ્યની ખબર નહોતી એટલે ફેંક્યા પણ આ વેપારી તો અમારુ મૂલ્ય સારી રીતે જાણતો હતો અને છતા અમને ફેંક્યા એટલે અમે તુટી ગયા.

મિત્રો, આવુ જ આપણી બધાની સાથે થાય છે. જે આપણને ઓળખતા હોય, જાણતા હોય, સમજતા હોય, આપણી સાવ નજીકના હોય એવા લોકો જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને ફેંકી દે ત્યારે આપણે પણ તુટી જઇએ છીએ. આપણાથી આ ભૂલ ના થાય એ જોવું.

महिला चाहे घर को स्वर्ग बना सकती है !*

एक गांव में एक जमींदार था। उसके कई नौकरों में जग्गू भी था। गांव से लगी बस्ती में, बाकी मजदूरों के साथ दामू भी अपने पांच लड़कों के साथ रहता था। दामू की पत्नी बहुत पहले गुजर गई थी। एक झोंपड़े में वह बच्चों को पाल रहा था। बच्चे बड़े होते गये और जमींदार के घर
नौकरी में लगते गये। सब मजदूरों को शाम को मजूरी मिलती।

दामू और उसके लड़के चना और गुड़ लेते थे। चना भून कर गुड़ के साथ खा लेते थे। बस्ती वालों ने दामू को बड़े लड़के की शादी कर देने की सलाह दी। उसकी शादी हो गई और कुछ दिन बाद गौना भी आ गया। उस दिन दामू की झोंपड़ी के सामने बड़ी बमचक मची। बहुत लोग इकठ्ठा हुये नई बहू देखने को। फिर धीरे धीरे भीड़ छंटी। आदमी काम पर चले गये, औरतें अपने अपने घर। जाते जाते एक बुढ़िया बहू से कहती गई – पास ही घर है। किसी चीज की जरूरत हो तो संकोच मत करना, आ जाना लेने।

सबके जाने के बाद बहू ने घूंघट उठा कर अपनी ससुराल को देखा तो उसका कलेजा मुंह को आ गया। जर्जर सी झोंपड़ी, खूंटी पर टंगी कुछ पोटलियां और झोंपड़ी के बाहर बने छः चूल्हे (दामू और उसके सभी बच्चे अलग अलग चना भूनते थे)। बहू का मन हुआ कि उठे और सरपट अपने गांव भाग चले। पर अचानक उसे सोच कर धचका लगा– वहां कौन से नूर गड़े हैं। मां है नहीं। भाई भौजाई के राज में नौकरानी जैसी जिंदगी ही तो गुजारनी होगी। यह सोचते हुये वह बुक्का फाड़ रोने लगी। रोते-रोते थक कर शान्त हुई। मन में कुछ सोचा।

पड़ोसन के घर जा कर पूछा – अम्मां एक झाड़ू मिलेगा? बुढ़िया अम्मा ने झाड़ू, गोबर और मिट्टी दी। साथ मेंअपनी पोती को भेज दिया। वापस आ कर बहू ने एक चूल्हा छोड़ बाकी फोड़ दिये। सफाई कर गोबर-मिट्टी से झोंपड़ीऔर द्वार लीपा। फिर उसने सभी पोटलियों के चने एक साथ किये और अम्मा के घर जा कर चना पीसा। अम्मा ने उसे साग और चटनी भी दी। वापस आ कर बहू ने चने के आटे की रोटियां बनाई और इन्तजार करने लगी।

दामू और उसके लड़के जब लौटे तो एक ही चूल्हा देख भड़क गये। चिल्लाने लगे कि इसने तो आते ही सत्यानाश कर दिया। अपने आदमी का छोड़ बाकी सब का चूल्हा फोड़ दिया। झगड़े की आवाज सुन बहू झोंपड़ी से निकली। बोली –आप लोग हाथ मुंह धो कर बैठिये, मैं खाना
निकालती हूं। सब अचकचा गये! हाथ मुंह धो कर बैठे। बहू ने पत्तल पर खाना परोसा – रोटी, साग, चटनी। मुद्दत बाद उन्हें ऐसा खाना मिला था। खा कर अपनी अपनी कथरी ले वे सोने चले गये।

सुबह काम पर जाते समय बहू ने उन्हें एक एक रोटी और गुड़ दिया। चलते समय दामू से उसने पूछा – बाबूजी, मालिक आप लोगों को चना और गुड़ ही देता है क्या? दामू ने बताया कि मिलता तो सभी अन्न है पर वे चना-गुड़ ही लेते हैं। आसान रहता है खाने में। बहू ने समझाया कि सब अलग अलग प्रकार का अनाज लिया करें।

देवर ने बताया कि उसका काम लकड़ी चीरना है। बहू ने उसे घर के ईंधन के लिये भी कुछ लकड़ी लाने को कहा। बहू सब की मजदूरी के अनाज से एक-एक मुठ्ठी अन्न अलग रखती। उससे बनिये की दुकान से बाकी जरूरत की चीजें लाती। दामू की गृहस्थी धड़ल्ले से चल पड़ी। एक दिन सभी भाइयों और बाप ने तालाब की मिट्टी से झोंपड़ी के आगे बाड़ बनाया।

बहू के गुण गांव में चर्चित होने लगे। जमींदार तक यह बात पंहुची। वह कभी कभी बस्ती में आया करता था। आज वह दामू के घर उसकी बहू को आशीर्वाद देने आया। बहू ने पैर छू प्रणाम किया तो जमींदार ने उसे एक हार दिया। हार माथे से लगा बहू ने कहा कि मालिक यह हमारे किस काम आयेगा। इससे अच्छा होता कि मालिक हमें चार लाठी जमीन दिये होते झोंपड़ी के दायें-बायें, तो एक कोठरी बन जाती।

बहू की चतुराई पर जमींदार हंस पड़ा। बोला – ठीक, जमीन तो दामू को मिलेगी ही। यह हार तो तुम्हारा हुआ।

*महिला चाहे घर को स्वर्ग बना सकती है !*

Sunday, August 28, 2016

મનોબળ મજબૂત

12 વર્ષની ઉંમરનો એક બાળક છઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એકદિવસ આ છોકરો રમતા રમતા એક અમીર માણસનાં ઘરમાં જઇ ચડ્યો. અમીર માણસે છોકરાને એના ઘરના આંગણામાં જોયો એટલે એના પર તાડૂક્યા. ગુસ્સે થઈને છોકરાને કહ્યું, "તું સાયકલ રિક્ષા ચલાવનારા એક સામાન્ય માણસનો દીકરો છે. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મુકવાની ?

છોકરો હેબતાઈ ગયો. 'આ અંકલ આટલા બધા ગુસ્સે કેમ થાય છે' એ એને સમજાતું નહોતું. બીજા દિવસે શાળામાં એક શિક્ષકને આ છોકરાએ વાત કરી. પેલા શિક્ષકે સમજાવ્યું કે બેટા, તારા પિતાની આર્થિક પરિસ્થિતિના કારણે એ ભાઈએ તારું અપમાન કર્યું. નાના છોકરાએ પૂછ્યું, "સર, પણ કોઈ મારું અપમાન ના કરે એવું કરવું હોય તો મારે શું કરવું જોઈએ"? શિક્ષકે મજાક મજાક માં કહ્યું "એક કામ કર, તું કલેકટર બની જા પછી તારા પિતાની આર્થિક પરિસ્થિતિ સામે કોઈ નહિ જુવે અને ક્યારેય કોઈ તારું અપમાન પણ નહિ કરે"

કલેકટર શું કહેવાય એની આ છોકરાને કંઈ જ ખબર નહોતી પણ એને એ જ ક્ષણે નક્કી કર્યું કે મારે કલેકટર થવું છે. પછી તો અભ્યાસ આગળ વધતો ગયો તેમ તેમ ધ્યેય વધુ સ્પષ્ટ થતું ગયું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પરીક્ષાની તૈયારી માટે આ છોકરો દિલ્હી આવ્યો. સાયકલ રિક્ષા ચલાવીને માંડમાંડ પરિવારનો ગુજારો કરતા પિતાજીએ પણ છોકરાને ભણાવવા દેવું કર્યું. છોકરો પણ કોઈ ખોટો ખર્ચો નાં કરે બે મહિના તો માત્ર 2 વખત ચા પીવાના પૈસા નાં હોય એવી સ્થિતિમાં કાઢ્યા.

આ છોકરાએ કલેકટર બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપી. પરિક્ષના પહેલા 2 સ્ટેજ પાસ પણ કરી લીધા. હવે ઇન્ટરવ્યૂમાં જવાનું હતું પણ એની પાસે પહેરવાના સારા કપડાં કે બુટ કંઈ જ નહોતું. છોકરાની મોટી બહેન પરણીને સાસરે ગયેલી એણે પોતાની પ્રસુતિ માટે 2000 બચાવેલા. આ 2000 એમણે કપડાં અને બુટ લેવા માટે નાના ભાઈને આપી દીધા.

રિક્ષા ડ્રાઇવરના દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને કલેકટર પણ બન્યો. આ છોકરાનું નામ છે ગોવિંદ જયસ્વાલ. બાળપણમાં થયેલા અપમાને ગોવિંદને એવી લગની લગાડી કે એણે દુનિયાની સૌથી અધરી ગણાતી પરીક્ષા પણ પાસ કરી દીધી. કલેકટર બનેલા ગોવિંદના ચહેરા પર તમને જે આનંદ દેખાશે એના કરતા સાયકલ રિક્ષા ચલાવતા એના પિતાના ચહેરા પર બમણો આનંદ દેખાશે.

મિત્રો, જો મનોબળ મજબૂત હોય અને ધ્યેય પ્રાપ્તિ માટે સમર્પણભાવથી પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનાવતા રોકી ના શકે.

Tuesday, August 23, 2016

संपकँ

એક કોલેજીયન યુવક કોલેજમાં રજા હોવાથી આજે ઘરે હતો. યુવકના દાદાએ યુવકને કહ્યુ, " બેટા, મારે નવા ચશ્મા લેવાના છે તું મારી સાથે ચાલને ?" મોબાઇલ પર ચેટીંગ કરતા યુવકને દાદાની આ દરખાસ્ત ન ગમી. એમણે દાદાને કહ્યુ, " દાદાજી, જમાનાની સાથે હવે તમારી જાતને પણ બદલો અને આધુનિક ટેકનોલેજીનો ઉપયોગ કરતા થાવ. ચશ્મા ખરીદવા માટે હવે દુકાન સુધી લાંબા થવાની અને સમય બગાડવાની કોઇ જરૂર નથી."
દાદાએ આશ્વર્ય સાથે કહ્યુ, " શું વાત છે બેટા ? દુકાને ગયા વગર પણ ચશ્માની ખરીદી થઇ શકે ? " યુવાને જરા રુઆબ સાથે કહ્યુ, " દાદા, અહીંયા આવો, મારી બાજુમાં બેસો, હું તમને સમજાવુ. આ મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે બધી જ વસ્તુઓ ઘરે બેઠા ખરીદી શકો છો. જુદી-જુદી ઓનલાઇન સેવા પુરી પાડતા ડીપાર્ટમેન્ટલ સ્ટોર પરથી તમે ખાલી ચશ્મા જ નહી. કરીયાણુ, કપડા, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધુ જ ખરીદી શકો છો. હવે તમારી જુનવાણી પધ્ધતિને પડતી મુકો અને આ આધુનિક પધ્ધતિ અપનાવો એટલે તમે ઘરે બેઠા જરૂરીયાત મુજબની બધી જ વસ્તુઓ ખરીદી શકો."
દાદાએ યુવાન પૌત્રની બધી વાત ધ્યાનથી સાંભળી પછી હળવેકથી કહ્યુ, " બેટા, તારી વાત તો સાચી છે કે આ ઓનલાઇન ખરીદી કરવાથી આપણો સમય બચે છે અને થોડું ડીસ્કાઉન્ટ પણ મળે એટલે પૈસા પણ બચે. પણ સમય અને પૈસા બચાવવા જતા જેના વગર જીવવું મુશ્કેલ છે એવો માનવીય સંબંધ છુટી જાય છે એનું શું ? " યુવકને કંઇ ન સમજાયુ એટલે એણે દાદાને કહ્યુ, " તમે શું કહેવા માંગો છો એની કંઇ ખબર નથી પડતી."
દાદાએ યુવકના ખભે હાથ મુકતા કહ્યુ, " બેટા, હમણા થોડા દિવસ પહેલા હું બીમાર પડ્યો. રોજ શાકભાજી લેવા હું જતો પણ હું બીમાર પડ્યો એટલે તારા પપ્પા ગયેલા. શાકભાજીવાળાને મારી બીમારીની ખબર પડી તો એ સાંજે એમની દુકાન બંધ કરીને મારી ખબર કાઢવા માટે આપણી ઘરે આવેલો અને મારી પથારી પાસે બેસીને મને સાંત્વના આપેલી. થોડા વર્ષો પહેલા થોડો સમય આપણે નાણાકીય તંગીનો ભોગ બનેલા ત્યારે આપણા કરીયાણાવાળાએ આખા વર્ષનું કરીયાણું ઉધાર આપેલુ અને પૈસા આપવાની કોઇ ચિંતા ન કરતા એમ કહેલું. જ્યારે તું નાનો હતો ત્યારે હું તને સાથે લઇને એ કરીયાણાવાળાને ત્યાં ખરીદી કરવા માટે જતો. એ ઓછુ ભણેલો કરીયાણાવાળો હંમેશા હસતા હસતા તને ચોકલેટ કે પેંડો પણ આપતો અને ક્યારેય બીલમાં ચોકલેટ-પેંડાની રકમ ઉમેરતો નહોતો. "
યુવક એકધ્યાન થઇને દાદાની વાત સાંભળી રહ્યો હતો. દાદાએ વાત આગળ વધારી " બેટા, કાપડવાળાને ત્યાં ખરીદી કરવા જઇએ ત્યારે એકાદ બે ઓળખીતા માણસો મળી જ જતા અને એની સાથે વાત કરવાનો મોકો પણ મળી જતો. હૈયામાં ધરબાઇને ભરેલી કેટલીક વાતો ત્યાં સહજતાથી ઠલવાઇ જતી અને હૈયુ હળવું ફુલ થઇ જતું. જેને ત્યાંથી આપણે નીયમિત ખરીદીઓ કરતા એ બધા આપણા સુખના કે દુ:ખના પ્રસંગમાં ભાગીદાર થતા હતા. હવે મને જણાવ તારી ઓનલાઇન ખરીદીમાં આવી સુવિધા મળે ખરી ? "
યુવાન કોઇ જવાબ ન આપી શક્યો. બાળપણની કેટલીક ઘટનાઓ યુવકના માનસપટ પર ઉભરી આવી અને દાદાજીને એણે એટલું જ કહ્યુ, " ચાલો દાદાજી હું આપની સાથે આવુ આપણે ચશ્માવાળા ભાઇની દુકાને જઇને એમની ચા પી આવીએ અને તમારા ચશ્મા લઇ આવીએ. રસ્તામાં તમારા એકાદ બે ભાઇબંધો મળી જશે તો એને મળી પણ આવીએ."
મિત્રો, જરા વિચાર કરવાની જરૂર છે કે સમય અને પૈસા બચાવવાની દોડમાં આપણે માણસ મટીને મશીન તો નથી બની ગયા ને ? કારણકે જો મશીન બની જઇશું તો ગમે એટલા પૈસા બચાવ્યા હોય કે ગમે એટલો સમય બચાવ્યો હોય તો પણ સંબંધ વગર પૈસા અને સમયનું કરીશું શું ? ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરીએ પણ માનવ સંપર્કો સાવ તુટી ન જાય એ પણ જરૂરી છે.

Friday, August 19, 2016

गुण और रुप

रूप या गुण
-रचनचंद जैन
-------------------------


सम्राट चंद्रगुप्त ने एक दिन अपने प्रतिभाशाली मंत्री चाणक्य से कहा-
"कितना अच्छा होता कि तुम अगर रूपवान भी होते।"
चाणक्य ने उत्तर दिया,
"महाराज रूप तो मृगतृष्णा है। आदमी की पहचान तो गुण और बुद्धि से ही होती है, रूप से नहीं।"

"क्या कोई ऐसा उदाहरण है जहाँ गुण के सामने रूप फींका दिखे। चंद्रगुप्त ने पूछा।
"ऐसे तो कई उदाहरण हैं महाराज, चाणक्य ने कहा, "पहले आप पानी पीकर मन को हल्का करें बाद में बात करेंगे।"
फिर उन्होंने दो पानी के गिलास बारी बारी से राजा की ओर बढ़ा दिये।

"महाराज पहले गिलास का पानी इस सोने के घड़े का था और दूसरे गिलास का पानी काली मिट्टी की उस मटकी का था। अब आप बताएँ, किस गिलास का पानी आपको मीठा और स्वादिष्ट लगा।"
सम्राट ने जवाब दिया- "मटकी से भरे गिलास का पानी शीतल और स्वदिष्ट लगा एवं उससे तृप्ति भी मिली।"

वहाँ उपस्थित महारानी ने मुस्कुराकर कहा, "महाराज हमारे प्रधानमंत्री ने बुद्धिचातुर्य से प्रश्न का उत्तर दे दिया। भला यह सोने का खूबसूरत घड़ा किस काम का जिसका पानी बेस्वाद लगता है। दूसरी ओर काली मिट्टी से बनी यह मटकी, जो कुरूप तो लगती है लेकिन उसमें गुण छिपे हैं। उसका शीतल सुस्वादु पानी पीकर मन तृप्त हो जाता है। आब आप ही बतला दें कि रूप बड़ा है अथवा गुण एवं बुद्धि?"


-

Saturday, August 13, 2016

અંગદાન

સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરવાનું ચૂકશો નહિ.

એક અતિ ધનવાન શેઠ પાસે અમૂલ્ય કાર હતી. આ કાર સોનાની હતી અને અમૂલ્ય હીરા-મોતી-માણેકથી શણગારેલી હતી. એકદિવસ શેઠે કારની દફનવિઘીનો મોટો કાર્યક્રમ રાખ્યો. શહેરના તમામ લોકોને આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું. લોકોને પણ એ નહોતું સમજાતું કે શેઠ કરોડોની કિંમતની મૂલ્યવાન કારને દફન કરીને બરબાદ કેમ કરી રહયા છે ! તમાશો જોવા માટે બધા લોકો ભેગા થયા.

શેઠે એક ખૂબ ઊંડા ખાડામાં કારને ઉતારાવી. હવે માત્ર ઉપર માટી નાખવાની વાર હતી. ત્યાં ઉપસ્થિત તમામ લોકોને આવી અમૂલ્ય કારને દફન કરનાર શેઠની મુર્ખામી પર ગુસ્સો આવી રહ્યો હતો. શેઠના એક નજીકના મિત્રથી નાં રહેવાયું એટલે એણે શેઠને પૂછ્યું, "તમે કારને બરબાદ કેમ કરી રહ્યા છો ? કાર તો ચાલુ હાલતમાં છે તો પછી દફનવિઘી કેમ ?"

શેઠે કહ્યું, "મારી ઉમર અને બીમારી જોતા મને એવું લાગે છે કે હું હવે થોડા સમયનો જ મહેમાન છું. આ કારે મારો ખુબ સાથ આપ્યો છે અને મેં પણ એને જીવની જેમ સાચવી છે એટલે હું ઇચ્છું છું કે મારા મૃત્યુ બાદ આ કાર મારી સાથે આવે. હું કારની દફનવિધી એટલા માટે કરું છું જેથી મારા મૃત્યુ બાદ હું એનો ઉપયોગ કરી શકું".

મિત્રએ કહ્યું, "શેઠ, તમે કેવી મૂરખ જેવી વાત કરો છો. આ ગાડી મૃત્યુ પછી તમારી સાથે થોડી આવવાની છે કે એ તમને કામમાં લાગે? ગાડીને દફન કરવાને બદલે કોઈ જરૂરિયાતવાળાને આપો તો એ એનો ઉપયોગ કરી શકે અને જીવનભર તમને યાદ પણ કરે".

શેઠે બધા લોકોને સંબોધીને કહ્યું, "બસ, આ સમજાવવા માટે જ મેં તમને બધાને ભેગા કર્યા છે. મારે પણ તમને એ જ કહેવું કે મૃત્યુ પછી તમારા શરીરના અંગો તમને શું કામ આવવાના છે ? આવા તંદુરસ્ત અને અમૂલ્ય અંગોનો નાશ કરવાના બદલે જો કોઈ જરૂરિયાતવાળાને દાનમાં આપીએ તો જતા જતા પણ કોઈને નવુજીવન આપવામાં યશભાગી બની શકીએ.

મિત્રો, વિશ્વમાં અંગદાનનાં અભાવે દર વર્ષે 5 લાખ લોકો મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે 1લાખ લોકો જરૂરી અંગો દાનમાં ના મળવાને કારણે મૃત્યુ પામે છે. આપણે ત્યાં 10 લાખ લોકોએ એકલ-દોકલ લોકો માંડ અંગદાન કરે છે.

આજે વિશ્વ અંગદાન દિવસ છે. અંગદાનનો સંકલ્પ કરીને બીજાને જીવનદાન આપવાનું સદકાર્ય કરવા જેવું છે.

Wednesday, August 10, 2016

પરિવારના પ્રેમ

એક વિધવાએ એના દિકરાને ઉછેરવા માટે તનતોડ મજૂરી કરી. દિવસ રાત પારકા ઘરના કામ કરીને એમણે દિકરાને ખુબ ભણાવ્યો. પોતે ફાટેલા કપડા પહેરે પણ દિકરાને રાજાના કુંવરની જેમ રાખે. દિકરો પણ માના સપના પુરા કરવા માટે ખુબ મહેનત કરે. દિકરાનો અભ્યાસ પુરો થયો અને એને એક મોટા શહેરમાં, નામાંકીત કંપનીમાં, ખુબ ઉંચા પગારની નોકરી મળી ગઇ.

દિકરો હવે ગામડમાંથી શહેરમાં રહેવા માટે આવી ગયો. માને પણ સાથે લાવ્યો. દિકરાના લગ્ન થયા અને ઘરમાં નવી વહુ આવી. દિકરાની માને થયુ હવે મારે કોઇ ચિંતા નથી. ભગવાનનું ભજન કરીશ અને બાકીનું જીવન આનંદથી વીતાવીશ. જેમ-જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ ભણેલી ગણેલી વહુને ગામડાની અભણ સાસુ ખુંચવા લાગી. બહેનપણીઓ ઘરે આવે તો સાસુને બહાર ન નીકળવાની સુચના આપે જેથી બહેનપણીઓ પાસે ખરાબ ન દેખાય. સાસુની હાજરી સ્વતંત્રતા છીનવી લેતી હોય એવુ વહુને લાગતું હતું.

એકદિવસ એણે એના પતિને સાસુની વિરુધમાં ફરીયાદ કરીને એમને ગામડે મુકી આવવાની વાત કરી. દિકરાનું મન તો નહોતું માનતુ આમ છતા એણે માને આ વાત કરી. છોકરાની માએ કહ્યુ, "બેટા, હવે મારે ગામડે નથી જાવુ. હું ગામડે જઇશ તો લોકો તને ખરાબ બોલશે. ગામલોકો કહેશે કે માએ મજૂરી કરીને દિકરાને સાહેબ બનાવ્યો અને દિકરો માને સાચવી ન શક્યો. બેટા, મને આ જ શહેરના કોઇ વૃધ્ધાશ્રમમાં મુકી જા. તું બીલકુલ કોચવાઇશ નહી, મને ખબર છે કે તને મારા પ્રત્યે બહુ લાગણી છે. મારા માટે તું તારી પત્નિને પણ છોડી શકે પણ મારે તારુ ઘર નથી ભાંગવુ. હું અહીંયા હોઇશ તો તું મને મળવા પણ આવી શકીશ."

બીજા દિવસે દિકરો દુ:ખી હદયે માને વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યો. દિકરાનું મન કામમાં નહોતું લાગતું. એ સાંજે ઘરે આવ્યો તો એની પત્નિ ચોધાર આંસુએ રડતી હતી. એ ભાઇને આશ્વર્ય થયુ કે મારી પત્નિને આટલો બધો પસ્તાવો થઇ રહ્યો છે. એણે એની પત્નિને કહ્યુ, " તને, બાની યાદ આવી રહી છે ? ચાલ આપણે બંને જઇને બાને પાછા લઇ આવીએ." પત્નિએ કહ્યુ, "અરે બાની ક્યા વાત કરો છો ? મારો પ્રિય કુતરો 'શેરુ' સવારનો ક્યાંક ચાલ્યો ગયો છે. હું સવારની કંઇ જ જમી પણ નથી. તમે ગમે તેમ કરો મારા 'શેરુ'ને શોધી લાવો'.

બીજા દિવસે સવારમાં વૃધ્ધાશ્રમના સંચાલકનો ફોન આવ્યો કે આજે છાપામાં તમારો કુતરો 'શેરુ' ગુમ થયાની જાહેરાત આવી છે. આપનો કુતરો કાલનો અહીંયા જ છે અને આપના સાસુ સાથે મોજથી રમી રહ્યો છે."

આપણે પ્રાણીને જેટલો પ્રેમ કરીએ છીએ એટલો પરિવારના સભ્યોને કરીએ છીએ ખરા ?

Wednesday, August 3, 2016

Nikita Ghiya

15 વર્ષની એક તરુણી હજુ તો રંગબેરંગી સપનાઓ જુવે એ પહેલા જ કુદરતે એના સપનાઓ પર કાળા રંગનો પીછડો મારી દીધો. યુવાનીના ઉંબરે આવીને ઉભેલી આ યુવતીની બંને કીડનીઓ કામ કરતી બંધ થઇ ગઇ. મૃત્યુ નજર સામે નાચતું હોવા છતા આ છોકરીના ચહેરા પર સ્મિત હતું. એમના મમ્મીએ પોતાની એક કીડની દાનમાં આપી અને યુવતી યમરાજાના દ્વારેથી પાછી આવી.અનેક તકલીફોની વચ્ચે પણ એ પુરી મસ્તીથી પ્રભુએ આપેલા જીવનને કોઇપણ જાતની ફરીયાદો કર્યા સીવાય મનભરીને માણી રહી હતી.

મમ્મીએ આપેલી કીડનીએ 10 વર્ષ સારી રીતે કામ આપ્યા બાદ અચાનક કામ કરવાનું બંધ કર્યુ. એમને ફરીથી હોસ્પીટલાઇઝ કરવી પડી અને 22 દિવસ હોસ્પીટલમાં રાખી. આ દિવસો દરમ્યાન એણે કેટલાય એવા ગરીબ દર્દીઓને હોસ્પીટલમાં આવતા જોયા જે ડોકટરની સલાહ પ્રમાણે પુરતા ડાયાલીસીસ ન કરી શકવાને કારણે મોતના મુખમાં ઘકેલાતા હોય. ડોકટરે 3 ડાયાલીસીસ કરવાની સલાહ આપી હોય પણ પુરતા પૈસા ન હોવાથી ગરીબ દર્દી 3 ને બદલે 2 ડાયાલીસીસ કરાવે અને ખેંચી શકાય એટલી જીવનની દોરીને ખેંચવાનો પ્રયાસ કરે.

આ યુવતીએ દર્દીઓની આ દયનિય સ્થિતી જોઇ ત્યારે એનું હદય દ્રવી ઉઠ્યુ અને એણે પથારીમાં બેઠા બેઠા જ આ ગરીબ દર્દીઓ માટે જે કંઇ થઇ શકે તે કરવાનું નક્કી કર્યુ. એ ભરતનાટ્યમના ખુબ સારા ડાન્સર હતા એટલે ડાન્સ શો કરીને ગરીબ દર્દીઓ માટે ફંડ એકઠું કરવાનો એણે સંકલ્પ કર્યો. પોતાની અંગત પીડાને અને એની શારીરીક કમજોરીને ધ્યાને લીધા વગર એણે ડાન્સના શો શરુ કર્યા.

દિવસમાં ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડે એવી સ્થિતીએ પહોંચેલી આ હિંમતવાન નારીએ ડાન્સ શોના માધ્યમથી 80 લાખ રૂપિયાથી વધુ ફંડ ભેગુ કરીને કીડનીના ગરીબ દર્દીઓની સારવાર માટે આપ્યુ. અનેકને નવુ જીવન આપનારી આ ગુજરાતની ગૌરવશાળી નારીનું નામ છે નિકિતા ધિયા. આજે નિકિતાબેનની વિદાયને એક વર્ષ પૂરું થયું. જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઇમાં અંતિમ શ્વાસ સુધી એના ચહેરા પર સ્મિત હતુ.

ગુજરાત સરકાર સ્ત્રીસશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરી રહી છે ત્યારે સ્ત્રીસશક્તિકરણના આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નિકીતા ઘીયાને શત શત વંદન.

Wednesday, July 27, 2016

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

આજથી બરાબર એક વર્ષ પહેલાની એક ઘટનાનું સ્મરણ આંખોની પાંપણોને પલાળી દે છે.

તા.27-7-2015નો દિવસ હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આઇઆઇએમ સિલોંગના વિદ્યાર્થીઓને પ્રવચન આપવા માટે દિલ્હીથી વિમાન મારફત ગવહાટી પહોંચ્યા અને ત્યાંથી મોટર માર્ગે સિલોંગ જઇ રહ્યા હતા. લગભગ 6 થી 7 મોટરકારનો કાફલો સિલોંગ તરફ આગળ વધી રહ્યો હતો.

ડો. કલામ બીજા નંબરની કારમાં સૃજનપાલની સાથે બેઠા હતા. એમની કારની આગળ એક ખુલ્લી જીપ્સી હતી જેમા કેટલાક જવાનો હથીયાર સાથે બેઠા હતા. એક જવાન હાથમાં હથીયાર લઇને આ ખુલ્લી જીપ્સીમાં ઉભો હતો.

ડો.કલામનું ધ્યાન વારે વારે એ જવાન પર જતુ હતુ. એમણે પોતાની સાથે બેઠેલા સૃજનપાલને પુછ્યુ, " બાકીના જવાન બેઠા છે પણ આ કેમ ઉભો છે ?"
સૃજનપાલે સ્પષ્ટતા કરતા કહ્યુ, " સર, ઉભા રહેવુ એ એની ફરજનો એક ભાગ છે. એ ઉભો રહે તો આપની સુરક્ષા જાળવવાનું કામ વધુ સારી રીતે કરી શકે. " કલામે તુરંત જ કહ્યુ, " પણ એ એક કલાક કરતા વધુ સમયથી ઉભો છે. આમ સતત ઉભા રહેવાથી તો થાકી જવાય અને આ તો એના માટે સજા જ ગણાય. તમે વાયરલેસ સંદેશો એમના સુધી પહોંચાડો કે એ બેસી જાય."

સૃજનપાલે જવાન સુધી સંદેશો પહોંચાડવાના પ્રયાસ કર્યા પણ એના સુધી વાત ન પહોંચી. લગભગ અઢી કલાકની મુસાફરી બાદ કાફલો સીલોંગ પહોંચ્યો. આ સમય દરમ્યાન ડો. કલામે 3 થી 4 વખત સૃજનપાલને પેલા જવાનને નીચે બેસાડવા માટે કહ્યુ હતુ. કારમાંથી નીચે ઉતરતા પહેલા એમણે સુજનપાલને કહ્યુ, " મારે એ જવાનને મળવુ છે તું એને મારી પાસે લઇ આવજે."

પેલા જવાનને લઇને સૃજનપાલ ડો. કલામ પાસે આવ્યા એટલે ડો. કલામે જવાનને કહ્યુ, " ભાઇ તું સતત ઉભો હતો આથી તને થાક લાગ્યો હશે, તને ભુખ પણ લાગી હશે, તારા માટે ભોજન કે નાસ્તાની વ્યવસ્થા કરાવુ. મારા કારણે તારે ઉભા રહેવુ પડ્યુ મને માફ કરજે. " આખો દેશ જેને પ્રેમ કરતો હોય એવા મહામાનવને માફી માંગતા જોઇને જવાનની આંખો ભીની થઇ ગઇ એણે એટલુ જ કહ્યુ, "સર, આપના જેવા મહાપુરુષ માટે તો હું 6 કલાક પણ ઉભો રહી શકુ."

સત્તાના સર્વોચ્ચ સિંહાસને પહોંચ્યા પછી પણ એક સામાન્ય માણસની કાળજી લેવાની અદભૂત આવડત ડો. કલામે હસ્તગત કરી હતી. એમનું મસ્તક આકાશને આંબતું હતુ પરંતું પગ ધરતી પર હતા. હે પ્રભુ ! મારા આ દેશમાં ડો. કલામ જેવા લઘુમતીઓની બહુમતી થઇ એવી પ્રાર્થના.

ડો.કલામ સર, આપ અમારા હદયમાં સદાય જીવંત રહેશો. આપની ગેરહાજરી ખુબ પીડા આપે છે.

Friday, July 22, 2016

પાલક પિતા

સુરતમાં રહેતા એક મુસ્લીમ પરિવારની આર્થિક પરિસ્થિતી ખુબ નબળી હતી. આ પરિવારની જન્મથી જ મુંગી એવી દિકરી નગ્માને ડેંગ્યુ થયો. છોકરીના પિતાએ એને હોસ્પીટલમાં દાખલ કરી. ડેંગ્યુએ જાણે કે નગ્માનો જીવ લેવાનું નક્કી કર્યુ હોય એમ તબીયત સતત બગડી રહી હતી. પ્લેટલેટ્સ ઘટીને 7000થી નીચે આવી ગયા અને છોકરી કોમામાં જતી રહી. આ દિકરી કદાચ હવે નહી જીવી શકે એવું સૌ કોઇને લાગતું હતું. અમુક લોકોનું તો એવુ પણ મંતવ્ય હતું કે કોમામાં રહેલી આ છોકરીની સારવાર પાછળ વધારે ખર્ચ કરવો હવે વ્યર્થ છે.

દિકરીના પિતા કોઇ કાળે પોતાની આ વહાલસોઇ દિકરીને ગુમાવવા નહોતા માંગતા. એક બાપ જીગરના ટુકડાને આવી દશામાં કેવી રીતે જોઇ શકે ? એમણે ડોકટરોને કહ્યુ, "આપને જે કરવું હોય તે કરો, જે નિષ્ણાંત ડોકટરને બોલાવવા હોય તે ડોકટરને બોલાવો, જેવી દવાઓ આપવી હોય એવી દવાઓ આપો, પણ મારી આ લાડકવાયી દિકરીનો પ્રાણ બચાવો. જે કંઇ ખર્ચો થાય એ બધો જ ખર્ચો કરવા હું તૈયાર છું. જરૂર પડે તો ચાર્ટર્ડ પ્લેન કરીને મારી દિકરીને વિદેશમાં પણ લઇ જાવ પણ આ દિકરીને કંઇ ન થવું જોઇએ. તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ."

ડોકટરો પણ પિતાનો પ્રેમ જોઇને દંગ રહી ગયા. બધાએ સાથે મળીને દિકરીને બચાવવા માટેના શક્ય તમામ પ્રયાસો કર્યા. પિતાએ પણ દિકરી માટે પાણીની જેમ પૈસા વેર્યા અને લગભગ 9 લાખથી વધુ રકમ દિકરીની સારવાર માટે ખર્ચી નાંખી. મોત સામેની આ લડાઇમાં દિકરીના પિતાનો વિજય થયો. દિકરી મોતના મુખમાંથી પાછી આવી. મુંગી દિકરી કંઇ બોલી ન શકી પણ પિતાના પ્રેમને આંસુઓના અભિષેક દ્વારા એણે વંદન કર્યા. છોકરીએ મનોમન ભગવાનને પ્રાર્થના કરી હશે કે હે પ્રભુ ! જગતની બધી દિકરીઓને મારા પિતા જેવા પિતા આપજે.

આ કોઇ વાર્તા નહી, હજુ હમણા 5 મહિના પહેલા જ બનેલી વાસ્તવિક ઘટના છે. વધુ આશ્વર્યની વાત તો એ છે કે છોકરીનો જીવ બચાવવા માટે કોઇપણ રકમ ખર્ચવાની તૈયારી બતાવનાર પિતા એના જન્મદાતા નહી, પાલક પિતા છે. મુસ્લીમ દિકરીના આ હિન્દુ પાલક પિતાનું નામ છે મહેશભાઇ સવાણી. મહેશભાઇ સવાણી આવી એક નહી 472 દિકરીઓના પાલક પિતા છે અને 1001 દિકરીના પાલક પિતા બનવાનો એણે સંકલ્પ કર્યો છે.

જેના પિતા અવસાન પામ્યા હોય એવી કોઇપણ જ્ઞાતિ કે ધર્મની દિકરીને મહેશભાઇ પોતાની દિકરી તરીકે સ્વિકારે છે. દિકરી માટે યોગ્ય મુરતીયો શોધવાથી શરુ કરીને, ધામધૂમથી લગ્ન કરાવી દેવા, લગ્નબાદ વાર તહેવારે દિકરીને ત્યાં ભેટ-સોગાદો મોકલવી અને દિકરીને ત્યાં સંતાન અવતરે ત્યારે પિયર તરફથી આપવામાં આવતું 'જીયાણું' કરવા સુધીની બધી જ ફરજો મહેશભાઇ નિભાવે છે. એક સગો બાપ પણ ન આપી શકે એટલી ભેટ-સોગાદો 'મહેશ પપ્પા' એની દરેક દિકરીને આપે છે. 5 તોલાના સોનાના દાગીના, 12 જોડી કપડા અને ઘરવખરીની તમામ વસ્તુંઓ કરીયાવર તરીકે આપવામાં આવે છે.

બાપ વગરની કોઇ દિકરીને હવે ચિંતા નથી કારણકે એનું ધ્યાન રાખનારા 'મહેશ પપ્પા' છે. સંપતિ તો કેટલાય લોકો પાસે અઢળક હોય છે પણ મહેશભાઇની જેમ સંપતિનો સદઉપયોગ બહુ ઓછા લોકો કરી જાણે છે. માનવતાની મહેક સમાન મહેશભાઇને વંદન.

Wednesday, July 20, 2016

બીજેન્દરસિંહ સિક્યુરીટી

ભારતીય લશ્કરમાં સેવા આપનાર એક સૈનિક લશ્કરના નિયમો મુજબની નક્કી થયેલી ઉંમરે પહોંચતા નિવૃત થયા. નિવૃતિબાદ સરકાર તરફથી એમને જીવન નિર્વાહ માટે પેન્શન મળતું હતું એટલે બીજુ કોઇ કામ કરવાની આવશ્કતા નહોતી. સતત કાર્યશીલ રહેવા ટેવાયેલ સૈનિક કામ વગર તો કેવી રીતે રહી શકે ? એટલે એણે એક પ્રાઇવેટ સીક્યુરીટી કંપનીમાં નોકરી સ્વિકારી.

કંપનીએ એમને દહેરાદૂનનાં માજરા વિસ્તારમાં આવેલા એક એટીએમની સીક્યુરીટીનું કામ સોંપ્યું. બિજેન્દરસિંહ નામના આ નિવૃત સૈનિકે સીક્યુરીટી ગાર્ડ તરીકે કામ ચાલુ કર્યુ. બીજેન્દરસિંહ બીજા સિક્યુરીટી ગાર્ડ કરતા સાવ જુદા લાગતા હતા. ભલે સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરવાની હોય પણ યુનીફોર્મ અને પર્સનાલીટી કોઇ ઓફીસરને પણ ટક્કર મારે એવી હતી.

બીજેન્દરસિંહે જોયુ કે આજુ-બાજુના વિસ્તારમાં કેટલીક ઝૂંપડપટી આવેલી છે. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો રખડવાનું અને ભીખ માંગવાનું કામ કરતા. બીજેન્દરસિંહ આ બાળકોને તથા એમના વાલીઓને મળ્યા અને જીવનમાં ભણવાનું શું મહત્વ છે એ સમજાવ્યુ. રોજ સાંજે 7 થી 9 બે કલાક કોઇપણ જાતનો ચાર્જ લીધા વગર બાળકોને ભણાવવાની એણે તૈયારી બતાવી. વાલીઓ અને બાળકો આ માટે તૈયાર થયા પરંતું એક સામાન્ય સ્થિતિનો સીક્યુરીટી ગાર્ડ ભણાવવાની જગ્યા ક્યાંથી લાવે ?

ભણાવવાની જગ્યાનો વિકલ્પ પણ એણે શોધી કાઢ્યો. એટીએમની બાજુમાં જ રોડ પર ભણાવવાની શરુઆત કરી. એટીએમમાંથી આવતી લાઇટના અજવાળે જ એણે કેટલાય બાળકોના અંધારીયા જીવનમાં અજવાળા કર્યા. રોજ 7 વાગે અને બાળકો ભેગા થઇ જાય. બિજેન્દરસિંહ એટીએમની ખુરશી બહાર લઇ લે અને પછી નીશાળ શરુ થાય. ભણવવા માટે જે કંઇ સાધન સામગ્રીની જરુર પડે એ બધી જ સાધન સામગ્રી બીજેન્દરસિંહ પોતાના ખર્ચે જ લઇ આવે. વિદ્યાર્થીઓને ભણવામાં રસ જાગે એટલે નાના-મોટા ઇનામો પણ આપે.

ત્યાંથી પસાર થનારા કે એટીએમમાંથી પૈસા ઉપાડવા આવતા કેટલાય લોકોની આંખો આ દ્રશ્ય જોઇને ટાઢી થાય. ઘણાલોકોએ બીજેન્દરસિંહને તેમના આ સેવાકાર્ય માટે આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી પણ એને વિનમ્રતા પૂર્વક ના પાડતા કહ્યુ 'મારા પરિવારના નિર્વાહ માટે જેટલી આવકની જરૂર પડે તેના કરતા પણ મારી આવક વધુ છે તો પછી આ વધારાની આવકને સાચવીને શું કરવાની ? બાળકોના વિકાસ માટે વપરાય એનો મને આનંદ મળે છે. મારી વધારાની આવકથી કોઇ વ્યક્તિ સારુ જીવન જીવવા માટે સક્ષમ બને તો એ લેખે લાગશે.'

વિજેન્દરસિંહ આ સેવા છેલ્લા કેટલાય વર્ષોથી કરે છે અને હવે તો એની આ સેવાનો લાભ મેળવનારા કેટલાક બાળકો સારી નોકરીએ પણ લાગી ગયા છે.

મિત્રો, એટીએમ પર ફરજ બજાવનાર એક સીક્યુરીટી ગાર્ડ પણ સમય અને સંપતિનો કેવો સદઉપયોગ કરી રહ્યા છે ? આપણે તો માત્ર શ્વાસ લઇને દિવસો કાઢીએ છીએ, આવા લોકો જીવનને જીવે છે.

Tuesday, July 12, 2016

‘ઉદયન એક્ક્ષપ્રેસ

આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે.

મુંબઇથી બેંગ્લોર તરફ જતી 'ઉદયન એક્ક્ષપ્રેસ' ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના ભાગે છુપાઇને બેઠેલી હતી. ટીકીટ ચેકરનું ધ્યાન આ છોકરી પર પડ્યુ એટલે છોકરીને સીટ નીચેથી બહાર નીકળવાનું કહ્યુ. છોકરી ગભરાતા ગભરાતા ઉભી થઇ. ભયને કારણે એનું શરીર ધ્રુજી રહ્યુ હતું. ટી.સી.એ પુછ્યુ, "નીચે છુપાઇને કેમ બેઠી હતી ? તારી ટીકીટ બતાવ". છોકરીએ આંખોમાં આંસુ સાથે કહ્યુ, "મારી પાસે ટીકીટ નથી"

ટી.સી. ગુસ્સે થયો અને કહ્યુ, "તને રેલ્વે પોલીસના હવાલે કરી દેવી જોઇએ પણ તું છોકરી છે એટલે જવા દઉં છું. આગળના સ્ટેશન પર આ ટ્રેઇનમાંથી નીચે ઉતરી જજે." ટ્રેઇનમાં મુસાફરી કરનાર એક અજાણી મહિલા છોકરીની મદદે આવી. એમણે ટી.સી.ને કહ્યુ, "ભાઇ, આટલી નાની છોકરી અજાણ્યા સ્ટેશન પર ઉતરીને ક્યાં જશે ? એક કામ કરો, દંડ સાથેની જે કંઇ રકમ થતી હોય તે મને જણાવો એટલે એ રકમ હું ભરી આપુ અને તમે કાયદેસરની પહોંચ આપી દો". મહિલાએ છોકરીને પુછ્યુ, "બેટા, ચિંતા ના કર, તારે ક્યાં જવાનું છે એ કહે એટલે હું તને ત્યાંની ટીકીટ અપાવી દઉં". છોકરીએ કહ્યુ, "મને એ જ ખબર નથી કે મારે ક્યાં જવાનું છે ?"

મહિલાએ ટી.સી.ને કહ્યુ, "ભાઇ, આ છોકરી માટે બેંગ્લોરની ટીકીટ જ આપી દો. હું બેંગલોર જાવ છું એટલે આ છોકરીને પણ મારી સાથે બેંગ્લોર જ લેતી જઇશ". મહિલા આ છોકરીને લઇને બેંગ્લોર આવી અને બેંગ્લોરની એક સંસ્થામાં મુકી આવી. છોકરીના રહેવા અને જમવાની બધી જ વ્યવસ્થા આ મહિલાએ કરી આપી. આ ઉપરાંત એના અભ્યાસની વ્યવસ્થા પણ આ મહિલાએ કરી આપી અને તમામ ખર્ચ એમણે ઉપાડી લીધો. મહિલા ક્યારેક ક્યારેક આ છોકરીને મળવા માટે પણ જતી પરંતું કામની અતિ વ્યસ્તતાને લીધે આ મુલાકાતો ઘટતી ગઇ. ક્યારેક ફોન પર તો ક્યારેક ઇમેઇલ દ્વારા વાતચિત થતી રહેતી.

અમુક વર્ષો પછી પેલી મહિલાને એક લેકચર આપવા માટે અમેરીકાના સાનફ્રાંસિસકોમાં જવાનું થયું. સાનફ્રાંસીસકોમાં રહેતા કન્નડ લોકોની એક સંસ્થાએ વ્યાખ્યાનનું આયોજન કરેલુ હતું. આ મહિલા જે હોટેલના હોલમાં કાર્યક્રમ હતો એ હોટેલમાં જ રોકાયા હતા. કાર્યક્રમ પુરો થયા બાદ હોટેલથી નીકળતી વખતે જ્યારે આ મહિલા હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર એમનું બીલ ભરવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે કોઇએ એમનું બીલ ભરી આપ્યુ છે. બીલ ભરી આપનાર દંપતિ ત્યાં જ ઉભુ હતું. મહિલા પ્રોફેસર એમને ઓળખતા પણ નહોતા એટલે પુછ્યુ, "આટલી મોટી રકમનું બીલ તમે કેમ ભરી આપ્યુ ?" સામે જ ઉભેલા દંપતિમાંથી પત્નિ બોલી, "મેડમ, આ બીલની રકમ મુંબઇથી બેંગ્લોરની રેલ્વે ટીકીટની સામે સાવ તુચ્છ છે."

મહિલાની આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ. એક અનાથ છોકરીને રેલ્વેના ડબ્બામાંથી અમેરીકા સુધી પહોંચાડનાર સેવાભાવી મહિલા એટલે ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતિ સુધા મૂર્તિ.
મિત્રો, તમારી નાની એવી મદદ કેટલું મોટું પરીણામ આપી શકે એની તમે કલ્પના પણ ન કરી શકો. જીવનમાં બીજાને જેટલી થઇ શકે એટલી મદદ કરવી જોઇએ. સામેવાળા ભલે કદાચ સુધા મૂર્તિ ન બને પણ તમને મદદ કર્યાનો આત્મસંતોષ જરૂર થશે.

પ્લબંરની જેમ પોટલું

એક ખેડુતે પોતાના ફાર્મ હાઉસ પર પાઇપનું
રીપેરીંગ કરવા માટે એક પ્લબંર બોલાવ્યો.
પ્લબંર આવીને જોયુ તો ઘણા વર્ષોથી આ
ફાર્મ
હાઉસબંધ હોય એવું લાગ્યું.
પ્લબંર પાઇપને ખોલવાના ખુબ પ્રયાસ
કર્યા પાઇપ
તો ના ખુલ્યો ઉલ્ટાના પ્લબંરના પાના-પકડ
તુટી ગયા.પાઇપ કાટી ગયો હતો આથી થોડું
વધુ
બળ લગાડ્યુ તો પાઇપ જ તુટી ગયો.
પલંબરે પોતાનું કામ ચાલુ રાખ્યુ થોડી વાર
પછી કામ કરતા કરતા એના હાથ પર જ
હથોડી વાગી એ ગુસ્સામાં કંઇક બડબડ
કરતો રહ્યો અને માંડ માંડ પોતાનુ કામ પુરુ
કર્યો.
હવે તો એ ખુબ થાકી ગયો હતો અને સાંજ પણ
પડી ગઇ હતી આથી એ
ઝડપથી પોતાનો સરસામાન લઇને
પોતાના વાહન
પાસેઆવ્યો એણે જોયુ તો પોતાના સ્કુટરમાં
પણ
પંચર હતું.
એણે ફાર્મ હાઉસના માલીકને પોતાના ઘરે
મુકી જવા માટે વિનંતી કરી એટલે ફાર્મ
હાઉસનો માલિક એને પોતાની કાર લઇને ઘેર
મુકવા ગયો. રસ્તામાં કાર માલિકે જોયુ કે
પેલો પ્લબંર ખુબ જ ગુસ્સામાં હતો.
આજનો આખો દિવસ એના માટે ખરાબ
રહ્યો હતો એ ગુસ્સામાં કંઇ બોલતો પણ ન
હતો પણ એના ચહેરા પરની તંગ રેખાઓ
બતાવતી હતી કે એ ખુબ જ ગુસ્સામાં છે.
પ્લબંરનું ઘર આવ્યું એટલે એણે પેલા ખેડુતને
પોતાના ઘરમાં આવવા માટે નિમંત્રણ આપ્યું.
ખેડુતે નિમંત્રણનો સ્વિકાર કર્યો અને એની સાથે
જ દરવાજામાં પ્રવેશ કર્યો.
ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરે એ પહેલા એ
પલંબરે ફળિયામાં આવેલા એક ઝાડ પાસે
ગયો એણે ઝાડને પ્રેમથી સ્પર્શ કર્યો અને
એના ચહેરા પરના ભાવ બદલાવા લાગ્યા એનુ
ગુસ્સો જણે કે અદ્રશ્ય થઇ ગયો અને ચહેરા પર
સ્મિત આવી ગયું. પછી એણે ડોરબેલ
વગાડી દરવાજો ખુલતા જ એ હસતા ચહેરે અંદર
પ્રવેશ્યો અને પોતાનાબાળક તથા પત્નિને
પ્રેમથી ભેટ્યો.આ બધુ જોઇને ખેડુત
તો વિચારમાં પડી ગયો. જ્યારે ચા-
પાણી પીધા પછી પ્લબંર ખેડુતને એની કાર
સુધી મુકવા આવ્યો આવ્યો ત્યારે એ પલંબરને
પુછ્યા વગર રહી શક્યો કે આ ઝાડમાં એવી તે શું
જાદુઇશક્તિ હતી કે એને સ્પર્શ કરતા જ
તારા ચહેરા પરનો ગુસ્સો સ્મિતમાં પલટાઇ
ગયો?
પલંબરે કહ્યુ ,"માલિક, હું કામ પરથી જ્યારે ઘરે
આવું છું ત્યારે મારી સાથે અનેક સમસ્યા અને
પ્રશ્નોના પોટલા પણ લાવું છું. પરંતું મારી આ
સમસ્યાઓ કે પ્રશ્નોની અસર
મારા પરિવારના બીજા સભ્યો પર ન પડે
તેની પણ તકેદારી રાખુ છું અને એટલે
ઘરમાં પ્રવેશતા પહેલા મારા તમામ પ્રશ્નો આ
ઝાડ પર જ ટાંગી દઉં છુ અને સવાર સુધી એ
પ્રશ્નો પ્રભુના હવાલે કરી દઉં છું. આનંદની વાત
તો એ છે કે જ્યારે સવારે ઝાડ પર
ટાંગેલા મારા પ્રશ્નોનું પોટલું લેવા માટે જાઉં
ત્યાર
મોટા ભાગના પ્રશ્નો તો પોટલામાંથી
ભાગી પણ
ગયા હોય છે અને ક્યારેક તો પોટલું સાવ
ખાલી હોય છે.
મિત્રો એવું નથી લાગતુ કે આપણે પણ આ
પ્લબંરની જેમ આપણા પ્રશ્નોને
ઘરના દરવાજાની બહાર ટાંગવા માટે એક
નાના છોડની જરુર છે!!!!!

Tuesday, July 5, 2016

दशावतार

एक माँ अपने पूजा-पाठ से फुर्सत पाकर अपने विदेश में रहने वाले बेटे से फोन पर बात करते समय पूँछ बैठी: ... बेटा! कुछ पूजा-पाठ भी करते हो या फुर्सत ही नहीं मिलती?

बेटे ने माँ को बताया - "माँ, मैं एक आनुवंशिक वैज्ञानिक हूँ ...
मैं अमेरिका में मानव के विकास पर काम कर रहा हूँ ...
विकास का सिद्धांत, चार्ल्स डार्विन... क्या आपने उसके बारे में सुना है ?"

उसकी माँ मुस्कुरा कर बोली - "मैं डार्विन के बारे में जानती हूँ, बेटा ... मैं यह भी जानती हूँ कि तुम जो सोचते हो कि उसने जो भी खोज की, वह वास्तव में सनातन-धर्म के लिए बहुत पुरानी खबर है..."

"हो सकता है माँ !" बेटे ने भी व्यंग्यपूर्वक कहा ...

"यदि तुम कुछ होशियार हो, तो इसे सुनो," उसकी माँ ने प्रतिकार किया...
... "क्या तुमने दशावतार के बारे में सुना है ? विष्णु के दस अवतार ?"

बेटे ने सहमति में कहा "हाँ! पर दशावतार का मेरी रिसर्च से क्या लेना-देना?"

माँ फिर बोली: लेना-देना है मेरे लाल... मैं तुम्हें बताती हूँ कि तुम और मि. डार्विन क्या नहीं जानते हैं ?

पहला अवतार था मत्स्य अवतार, यानि मछली | ऐसा इसलिए कि जीवन पानी में आरम्भ हुआ | यह बात सही है या नहीं ?"

बेटा अब और अधिक ध्यानपूर्वक सुनने लगा |

उसके बाद आया दूसरा कूर्म अवतार, जिसका अर्थ है कछुआ, क्योंकि जीवन पानी से जमीन की ओर चला गया 'उभयचर (Amphibian)' | तो कछुए ने समुद्र से जमीन की ओर विकास को दर्शाया |

तीसरा था वराह अवतार, जंगली सूअर, जिसका मतलब जंगली जानवर जिनमें बहुत अधिक बुद्धि नहीं होती है | तुम उन्हें डायनासोर कहते हो, सही है ? बेटे ने आंखें फैलाते हुए सहमति जताई |

चौथा अवतार था नृसिंह अवतार, आधा मानव, आधा पशु, जंगली जानवरों से बुद्धिमान जीवों तक विकास |

पांचवें वामन अवतार था, बौना जो वास्तव में लंबा बढ़ सकता था | क्या तुम जानते हो ऐसा क्यों है ? क्योंकि मनुष्य दो प्रकार के होते थे, होमो इरेक्टस और होमो सेपिअंस, और होमो सेपिअंस ने लड़ाई जीत ली |"

बेटा दशावतार की प्रासंगिकता पर स्तब्ध हो रहा था जबकि उसकी माँ पूर्ण प्रवाह में थी...

छठा अवतार था परशुराम - वे, जिनके पास कुल्हाड़ी की ताकत थी, वो मानव जो गुफा और वन में रहने वाला था | गुस्सैल, और सामाजिक नहीं |

सातवां अवतार था मर्यादा पुरुषोत्तम श्री राम, सोच युक्त प्रथम सामाजिक व्यक्ति, जिन्होंने समाज के नियम बनाए और समस्त रिश्तों का आधार |

आठवां अवतार था जगद्गुरु श्री कृष्ण, राजनेता, राजनीतिज्ञ, प्रेमी जिन्होंने ने समाज के नियमों का आनन्द लेते हुए यह सिखाया कि सामाजिक ढांचे में कैसे रहकर फला-फूला जा सकता है |

नवां अवतार था भगवान बुद्ध, वे व्यक्ति जो नृसिंह से उठे और मानव के सही स्वभाव को खोजा | उन्होंने मानव द्वारा ज्ञान की अंतिम खोज की पहचान की |

और अंत में दसवां अवतार कल्कि आएगा, वह मानव जिस पर तुम काम कर रहे हो | वह मानव जो आनुवंशिक रूप से अति-श्रेष्ठ होगा |

बेटा अपनी माँ को अवाक होकर सुनता रहा |
अंत में बोल पड़ा "यह अद्भुत है माँ, भारतीय दर्शन वास्तव में अर्थपूर्ण है |"

...पुराण अर्थपूर्ण हैं | सिर्फ आपका देखने का नज़रिया होना चाहिए धार्मिक या वैज्ञानिक ?🙏🙏🙏🙏🙏

Sunday, July 3, 2016

Courage

Salute him for his courage.

He is Srikanth Bolla, a 24 year old blind entrepreneur. After securing 90% marks . When IITs and NITs didnt give him hall ticket for writing competitive exams, he applied overseas, and got selected in 4 of the best colleges ever created on Earth: MIT, Stanford, Berkeley, and Carnegie Mellon. After returning frm US in 2012, he launched Bollant Industries, where 60% of employees are poor, physically challenged. This 450 employees company is now worth Rs 50 crore, and recently, Ratan Tata invested in his venture.

We salute him for his courage!

બિરની સિગલ નામના એક કેન્સર સ્પેશિયાલિસ્ટે 'લવ, મેડિસિન અને મિરેકલ્સ' નામનું એક પુસ્તક લખ્યું છે. મનની શક્તિ શરીર પર કેવી રીતે રાજ કરે છે તેનો એક અદભૂત પ્રસંગ, સિગલે આ પુસ્તકમાં નોંધ્યો છે.

1957ના વર્ષની આ ઘટના છે. મી.રાઈટ નામનો એક પાઈલોટ હતો. આ પાઈલોટને ગળાનો દુ:ખાવો શરુ થયો. ધીમે ધીમે દુ:ખાવો વધવા લાગ્યો. ડોકટરોએ તમામ રિપોર્ટ્સ કરાવ્યા એટલે ખબર પડી કે મી.રાઇટ્સને ગળાનું કેન્સર છે. આ એ સમય હતો કે જ્યારે કેન્સર જીવલેણ રોગ ગણાતો અને એની કોઈ અસરકારક દવા પણ નહોતી.

મી.રાઈટ્સ સાવ પડી ભાંગ્યા. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા પણ તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. મી.રાઇટ્સ હવે માત્ર થોડા દિવસના જ મહેમાન હતા. એકદિવસ એણે છાપામાં એક સમાચાર વાંચ્યા. કેન્સરને કાબુમાં કરી શકાય એવી 'ક્લેબાયોસિન' નામની એક દવા શોધવામાં આવી છે. આ દવા ગમે તેવા કેન્સરના રોગને પણ મટાડી શકે છે.

મી.રાઇટ્સ આ સમાચાર વાંચીને આનંદથી ઝૂમી ઉઠ્યા. એણે આ દવા લેવાનું નક્કી કર્યું. ડોકટરો માર્કેટમાં આવેલી આ દવાની અસરકારકતા અંગે શંકાશીલ હતા પણ મી.રાઇટ્સને પૂર્ણ વિશ્વાસ હતો કે આ નવી દવા એને નવું જીવન આપશે. મી.રાઇટ્સના આગ્રહથી એ દવા એમને આપવામાં આવી. માત્ર થોડા જ દિવસોમાં કેન્સરની ગાંઠો ઓગળવા લાગી અને અમૂક અઠવાડિયા પછી મી.રાઈટ્સ સંપૂર્ણ સ્વસ્થ થઈને પાઈલોટની નોકરી પર પરત આવી ગયા.

થોડા મહિના પછી એક બીજા સમાચાર છપાયા કે 'કેન્સરની જે દવા શોધાયાનો દાવો હતો તે સાવ ખોટો હતો. લેબોરેટરીમાં ઊંડાણપૂર્વકની તપાસ પરથી સાબિત થયું કે દવાની કેન્સર પર કોઈ અસર થતી નથી. કંપનીએ પણ દવાને માર્કેટમાંથી પાછી ખેંચી લીધી છે.' આ સમાચાર વાંચતાની સાથે જ મી.રાઇટ્સને પરસેવો છૂટી ગયો. બીજા જ દિવસે એ બિમાર પડી ગયો. હોસ્પિટલમાં દાખલ થયો અને થોડા દિવસમાં એના શરીરમાં કેન્સરની ગાંઠો ફરીથી જોવા મળી અને અઠવાડિયામાં તો એ મૃત્યુ પામ્યો.

મિત્રો, મનની હકારાત્મક કે નકારાત્મક અસર શરીર પર થાય જ છે. મન ધારે તો સાજા શરીરને માંદું પાડે અને મન ધારે તો માંદા શરીરને સાજું પણ કરે. શરીરના મોટાભાગના દુઃખોનું કારણ મન જ હોય છે. શરીરની તંદુરસ્તી માટે મનની તંદુરસ્તી બહુ જરૂરી છે.

Wednesday, June 29, 2016

અનુકરણ

એક વાર એક પોપટને ઉધરસ થઇ હોવાથી ચંપકલાલ તેના ફેમીલી ડોક્ટર પાસે લઇ ગયા. અને કહે આનો ઈલાજ કરો..તેના ફેમીલી ડોક્ટર કહે આ તો પશુ-પક્ષીના ડોક્ટરનો કેશ છે. હું તો માણસોનો ઈલાજ કરું છું. તો ચંપકલાલ કહે:આને તમે પશુ-પક્ષીના કહો આ તો અમારો ફેમીલી મેમ્બર છે. અને તમે અમારા ફેમીલી ડોક્ટર છો. એટલે ઈલાજ તો તમારેજ કરવો પડશે. ડોક્ટર કહે કાલે તમે બધાં ફેમીલી સાથે આવો, હું ઈલાજ કરી આપીશ. બીજે દિવસે ફેમીલી મેમ્બર બધાં પોપટને લઈને ડોક્ટર પાસે આવ્યા..ડોક્ટરે બધાને તપાસ્યા અને પોપટ સિવાય બધાને દવા આપી. ચંપકલાલ કહે: અમને બધાને નહી પોપટને દવા આપો. ડોક્ટર કહે દવાની પોપટને જરૂર નથી.પોપટ તો તમારું અનુકરણ કરે છે. પહેલા રોજ સવારમાં ઉઠીને તમે સીતારામ બોલતા તો પોપટ સીતારામ બોલતો, પણ હવે રોજ સવારથી આખું ઘર ખો ખો કરે છે માટે પોપટ તો અનુકરણ કરે છે. તમે દવા લેશો એટલે પોપટને સારું થય જશે.
મોરલ : છોકરાઓ પણ પોપટ જેવાજ હોય છે, જે નજીકનાઓ નું અનુકરણ કરે છે, જો વ્યાસન હોય તો છોકરાઓની ભાળતા ન કરવું
@ નીતિન ગજ્જર

જૂની યાદો

પૈસા ઓછા હતા,
પણ સુખ ખુબ હતુ.....
હમણાં એક મીત્ર સાથે વાત થઈ..
અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો
ભુલી જ ગયા,
હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ..
આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી, પણ હું પણ ભુલી ગયો..
પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો મને ઈંતઝાર રહેતો હતો,
પચાસ વારના નાનકડા ઘરમાં અમે ચાર રહેતા, મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે,
પણ લાગતુ કે હું દુનિયાનો સૌથી સુખી માણસ છુ.
પૈસા ઓછા હતા..
ઘર નાનુ હતું..
સગવડો ન્હોતી પણ સુખ હતું.
1 તારીખે મમ્મી-પપ્પા ઓફિસેથી આવતા કઈક ખાવાની કઈક વસ્તુ લઈ આવતા (બસો ગ્રામ દાલવડા, બીસ્કીટ , પાપડી) અને અમે ચારે સાથે બેસી નાસ્તો કરતા બસ પેટ અને મન મને સંતુષ્ટ થઈ જતા હતો, બહારનો નાસ્તો મહિને એક જ વખત થતો હતો. અને તે પણ પગાર આવે ત્યારે વાત આખર તારીખને હવે તે વાત જ ભુલાઈ ગઈ, મારા બાળકોને આખર તારીખ કોને કહેવાય તેની ખબર નથી અને હું પણ તેમને હમણાં પૈસા નથી પગાર આવે એટલે લાવીશુ તેવુ કહેતો નથી..તેના ઘણા કારણો છે પણ તેની ચર્ચા અહિયા કરવી નથી.
પણ સુખ કઈ બાબતોમાં હતુ...
(1) આમ તો મહિનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી.. એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.

(2) ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે.. મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની સાયકલ આપી અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વ્હા મઝા આવી ગઈ,
આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો.

(3) ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ... જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે.. મોડા સુધી જગતા.. મહેમાન જાય ત્યારે તેમને છેક એએમટીએસ બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા, મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું (આજે અરે મારી ટીવી સિરીયલ વખતે કયાં કોઈ આવ્યુ તેવુ થાય.. ઘરની બહાર સુધી પણ મુકવા જવાની વાત તો દુરની રહી)

(4) વેકેશન પણ સુખ હતુ.. મામાના ઘરે.. કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા.

(5) સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલીના ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારુ દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મીત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.

(6) વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, પણ ખોચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતો, નાકામી માચીસ ઉપરના ફોટા, લખોટી જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.

(7) ફિલ્મ જોવી એટલી એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડતુ,
ત્યારે થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતા, તેનું કામ ટીકીટ લેવા આવનારન લાઈનમાં ઉભા રાખવાનું હતું, લાઈન તોડનારને તે લાકડી લાકડીએ ફટકારતો,
માર ખાઈને પણ લોકો લાઈનમાં ઉભા રહેતા..
લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે..
અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો.

(8) લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા, જો પહેલી પંગતમાં જમવા માટે વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.

(9) નવા કપડા તો દિવાળી જ મળે, તેમાં પણ અમદાવાદના ત્રણ દરવાજા પાસે એક દુકાન હતી જે આજે પણ છે જેનું નામ બચુભાઈ રેડીમેઈડવાળા છે, અહિયા કપડાં સસ્તા મળતા એટલે જવાનું, (ત્યારે સીજીરોડનો જન્મ થયો ન્હોતો) દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતો, અને કપડાંનો ઘા કરતો, દુકાનપુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થયા, ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી, માપની બહુ ચીંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.

(10) આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે.એકના ઘરે ફોન હતો..કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા
આજે સમજાય છે કે
સુખ સગવડોમાં ન્હોતુ,
નાની નાની વાતો સુખી કરતી હતી,
કારણ ત્યારે આખર તારીખ આવતી હતી,
આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી..
રોજ પહેલી તારીખ જ હોય છે.આજે મોટુ ઘર છે, ટીવી છે, કાર છે, બેન્ક બેલેન્સ છે છતાં આપણે શોધીએ છે સુખને.....

Excellent, indeed


Sent from my iPhone

પાપ નું ફળ કોને ?

🙏अनजाने कर्म का फल

VERY INTRESTING👇

एक राजा ब्राह्मणों को लंगर में महल के आँगन में भोजन करा रहा था ।
राजा का रसोईया खुले आँगन में भोजन पका रहा था ।
उसी समय एक चील अपने पंजे में एक जिंदा साँप को लेकर राजा के महल के उपर से गुजरी ।
तब पँजों में दबे साँप ने अपनी आत्म-रक्षा में चील से बचने के लिए अपने फन से ज़हर निकाला ।
तब रसोईया जो लंगर ब्राह्मणो के लिए पका रहा था, उस लंगर में साँप के मुख से निकली जहर की कुछ बूँदें खाने में गिर गई ।
किसी को कुछ पता नहीं चला ।
फल-स्वरूप वह ब्राह्मण जो भोजन करने आये थे उन सब की जहरीला खाना खाते ही मौत हो गयी ।
अब जब राजा को सारे ब्राह्मणों की मृत्यु का पता चला तो ब्रह्म-हत्या होने से उसे बहुत दुख हुआ ।

ऐसे में अब ऊपर बैठे यमराज के लिए भी यह फैसला लेना मुश्किल हो गया कि इस पाप-कर्म का फल किसके खाते में जायेगा .... ???
(1) राजा .... जिसको पता ही नहीं था कि खाना जहरीला हो गया है ....
या
(2 ) रसोईया .... जिसको पता ही नहीं था कि खाना बनाते समय वह जहरीला हो गया है ....
या
(3) वह चील .... जो जहरीला साँप लिए राजा के उपर से गुजरी ....
या
(4) वह साँप .... जिसने अपनी आत्म-रक्षा में ज़हर निकाला ....

बहुत दिनों तक यह मामला यमराज की फाईल में अटका (Pending) रहा ....

फिर कुछ समय बाद कुछ ब्राह्मण राजा से मिलने उस राज्य मे आए और उन्होंने किसी महिला से महल का रास्ता पूछा ।
उस महिला ने महल का रास्ता तो बता दिया पर रास्ता बताने के साथ-साथ ब्राह्मणों से ये भी कह दिया कि "देखो भाई ....जरा ध्यान रखना .... वह राजा आप जैसे ब्राह्मणों को खाने में जहर देकर मार देता है ।"

बस जैसे ही उस महिला ने ये शब्द कहे, उसी समय यमराज ने फैसला (decision) ले लिया कि उन मृत ब्राह्मणों की मृत्यु के पाप का फल इस महिला के खाते में जाएगा और इसे उस पाप का फल भुगतना होगा ।

यमराज के दूतों ने पूछा - प्रभु ऐसा क्यों ??
जब कि उन मृत ब्राह्मणों की हत्या में उस महिला की कोई भूमिका (role) भी नहीं थी ।
तब यमराज ने कहा - कि भाई देखो, जब कोई व्यक्ति पाप करता हैं तब उसे बड़ा आनन्द मिलता हैं । पर उन मृत ब्राह्मणों की हत्या से ना तो राजा को आनंद मिला .... ना ही उस रसोइया को आनंद मिला .... ना ही उस साँप को आनंद मिला .... और ना ही उस चील को आनंद मिला ।
पर उस पाप-कर्म की घटना का बुराई करने के भाव से बखान कर उस महिला को जरूर आनन्द मिला । इसलिये राजा के उस अनजाने पाप-कर्म का फल अब इस महिला के खाते में जायेगा ।

बस इसी घटना के तहत आज तक जब भी कोई व्यक्ति जब किसी दूसरे के पाप-कर्म का बखान बुरे भाव से (बुराई) करता हैं तब उस व्यक्ति के पापों का हिस्सा उस बुराई करने वाले के खाते में भी डाल दिया जाता हैं ।

अक्सर हम जीवन में सोचते हैं कि हमने जीवन में ऐसा कोई पाप नहीं किया, फिर भी हमारे जीवन में इतना कष्ट क्यों आया .... ??

ये कष्ट और कहीं से नहीं, बल्कि लोगों की बुराई करने के कारण उनके पाप-कर्मो से आया होता हैं जो बुराई करते ही हमारे खाते में ट्रांसफर हो जाता हैं ....

इसलिये आज से ही संकल्प कर लें कि किसी के भी और किसी भी पाप-कर्म का बखान बुरे भाव से कभी नहीं करना यानी किसी की भी बुराई या चुगली कभी नहीं करनी हैं ।
लेकिन यदि फिर भी हम ऐसा करते हैं तो हमें ही इसका फल आज नहीं तो कल जरूर भुगतना ही पड़ेगा !!!!

A very deep philosophy of Karma example ☝
🙏


Sent from my iPhone

Tuesday, June 28, 2016

ફુટડો યુવાન હિપેટાઇટીસ - બી નો ભોગ બન્યો.

16-17 વર્ષની ઉંમરનો એક ફુટડો યુવાન હિપેટાઇટીસ - બી નો ભોગ બન્યો. બેંકમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના આ લાડકવાયા દિકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. તમામ પ્રયાસો છતા છોકરો દિવસે-દિવસે વધારે નબળો પડતો જતો હતો. એક દિવસ એના પિતા આ છોકરાને લઇને હોસ્પીટલ પર આવ્યા. છોકરો એટલો પરવશ હતો કે એના પિતાએ એને ઉપાડીને હોસ્પીટલ આવવું પડ્યું. છોકરાને સંપૂર્ણપણે તપાસ્યા બાદ ડોકટરો અંદરોઅંદર અંગ્રેજીમાં વાતો કરી રહ્યા હતા.

છોકરો આ વાત સાંભળતો હતો એટલે ડોકટરો આગળ વધુ વાતો કરે એ પહેલા છોકરાના પિતાએ ડોકટરોને વાતો કરતા અટકાવ્યા. છોકરો હોશિયાર હતો અને અંગ્રેજી સારુ જાણતો હતો એટલે ડોકટરોની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા. બાપને સમજતા વાર ન લાગી કે દિકરાને પણ સમજાઇ ગયુ છે કે એ હવે લાંબું જીવી શકે તેમ નથી અને માત્ર થોડા સમયનો જ મહેમાન છે. બાપે દિકરાને એટલું જ કહ્યુ કે "બેટા તારી મમ્મીને આ વાતની ખબર પડશે તો એ સાવ પડી ભાંગશે." છોકરાએ એના પપ્પાને હિંમત આપતા કહ્યુ કે "પપ્પા ચિંતા ના કરશો મમ્મીને આ બાબતે કંઇ જ ખબર નહિ પડે."

છોકરાને હોસ્પિટલથી ઘરે લાવ્યા. આ પરિવાર સાથે અંગત સંબધ ધરાવતા એક ડોકટરને આ બાબતની ખબર પડી એટલે એ ડોકટર છોકરાને રુબરુ મળવા માટે આવ્યા. છોકરાના રૂમમાં ગયા. બીજા સભ્યોને રૂમની બહાર મોકલી દીધા. છોકરાનો હાથ પોતાના હાથમાં લઇને પુછ્યુ , " બેટા , જીવવું છે ? " છોકરાએ આંખમાં આંસું સાથે જવાબ આપ્યો , " હા અંકલ , બહુ જ ઇચ્છા છે જીવવાની. હજુ તો હમણા જ કોઇ છોકરીએ મારા હદયરૂપી ખેતરના ચાસમાં વાવેલા પ્રેમના બી અંકુરીત થયા છે. આ પ્રેમના અંકુરથી જ મને ખુબ આનંદ મળ્યો છે. મને તો એના વિશાળ વૃક્ષના ફળ ખાવાની ઇચ્છા છે. "

ડોકટરે એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યુ , " બેટા , જો તારી જીવવાની ઇચ્છા પ્રબળ છે તો આપણે મૃત્યું સામે જંગ માંડીએ. મને વિશ્વાસ છે કે આપણે તેમા જીતીશું. ભગવાન પણ આપણને મદદ કરશે." ડોકટર પોતાના ઘરેથી વીસીઆર અને કેટલીક વિડીયો કેસેટ લઇ આવ્યા. આ છોકરાને જોવા માટે આપી. જીવનમાં પોઝીટીવીટી આવે એ પ્રકારની આ કેસેટો હતી. ક્યારેક ડોકટર પણ સાથે બેસીને આ યુવાનને સમજાવે કે 'જો બેટા ફિલ્મના આ પાત્રને કેટલું દુ:ખ પડે છે પણ એ કોઇ ફરિયાદ કર્યા વગર કેવું સરસ જીવન જીવે છે અને કુદરત એને સાથ આપે છે.'

જીંદગીને જીવવાના સંકલ્પે અને હકારાત્મક વિચારસરણીએ આ યુવાનમાં પ્રાણ ફુંક્યા.ડોકટરોના તમામ તારણો ખોટા પાડીને એ મોતને સતત દુર ઠેલતો રહ્યો. રીલાયન્સ જેવી કંપનીમાં સારી નોકરી મળી. જે છોકરી સાથે પ્રેમ થયો હતો તેની સાથે જ લગ્ન પણ થયા. અને પ્રેમના ફળ સ્વરૂપે એક દિકરી અને એક દિકરાના પિતા બનવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું.

આજે આ યુવાન 44 વર્ષનો છે અને રિલાયન્સની નોકરી છોડીને નાણાકિય સલાહકાર તરિકેનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. આજે પણ એને ઘણી શારિરિક તકલીફો છે. સમયાંતરે નિયમિત અમુક સારવાર લેવી પડે છે અને છતાય એ મોજથી જીંદગી જીવે છે, કોઇપણ જાતની ફરિયાદો કર્યા વગર.

મિત્રો, નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે આ યુવાનની તકલીફો સામે જોઇએ ત્યારે કુદરતે આપણને ઘણી સારી સ્થિતીમાં રાખ્યાની અનુભુતિ થયા વગર રહેતી નથી. આ યુવાન એટલે પોરબંદરના મૂળ રહેવાસી અને હાલમાં ઇન્સ્યોરન્સ બીઝનેસ સાથે સંકળાયેલ વિજય ભટ્ટ અને આ યુવાનને મૃત્યું સામેની લડાઇ લડવામાં સહાય કરનાર પેલા ડોકટર એટલે ભાવનગરના જાણીતા લેખક-ડોકટર ડો. આઇ. કે. વિજળીવાલા.

संत श्री नरसी मेहता घर श्राद्ध

नरसी मेहता जी के जीवन की एक घटना आप सभी महानुभावों को अर्पित है।

एक बार नरसी जी का बड़ा भाई वंशीधर नरसी जी के घर आया।
पिता जी का वार्षिक श्राद्ध करना था।

वंशीधर ने नरसी जी से कहा :- 'कल पिताजी का वार्षिक श्राद्ध करना है।
कहीं अड्डेबाजी मत करना बहु को लेकर मेरे यहाँ आ जाना।
काम-काज में हाथ बटाओगे तो तुम्हारी भाभी को आराम मिलेगा।'

नरसी जी ने कहा :- 'पूजा पाठ करके ही आ
सकूँगा।'

इतना सुनना था कि वंशीधर उखड गए और बोले :- 'जिन्दगी भर यही सब करते रहना।
जिसकी गृहस्थी भिक्षा से चलती है, उसकी सहायता की मुझे जरूरत नहीं है।
तुम पिताजी का श्राद्ध अपने घर पर अपने हिसाब से कर लेना।'

नरसी जी ने कहा :-``नाराज क्यों होते हो भैया?
मेरे पास जो कुछ भी है, मैं उसी से श्राद्ध कर लूँगा।'

दोनों भाईयों के बीच श्राद्ध को लेकर झगडा हो गया है, नागर-मंडली को मालूम हो गया।

नरसी अलग से श्राद्ध करेगा, ये सुनकर नागर मंडली ने बदला लेने की सोची।

पुरोहित प्रसन्न राय ने सात सौ ब्राह्मणों को नरसी के यहाँ आयोजित श्राद्ध में आने के लिए
आमंत्रित कर दिया।

प्रसन्न राय ये जानते थे कि नरसी का परिवार
मांगकर भोजन करता है।
वह क्या सात सौ ब्राह्मणों को भोजन कराएगा?
आमंत्रित ब्राह्मण नाराज होकर जायेंगे और तब उसे ज्यातिच्युत कर दिया जाएगा।

अब कहीं से इस षड्यंत्र का पता नरसी मेहता जी की पत्नी मानिकबाई जी को लग गया वह चिंतित हो उठी।

अब दुसरे दिन नरसी जी स्नान के बाद श्राद्ध के लिए घी लेने बाज़ार गए।
नरसी जी घी उधार में चाहते थे पर किसी ने
उनको घी नहीं दिया।

अंत में एक दुकानदार राजी हो गया पर ये शर्त
रख दी कि नरसी को भजन सुनाना पड़ेगा।

बस फिर क्या था, मन पसंद काम और उसके बदले घी मिलेगा, ये तो आनंद हो गया।

अब हुआ ये कि नरसी जी भगवान का भजन सुनाने में इतने तल्लीन हो गए कि ध्यान ही नहीं रहा कि घर में श्राद्ध है।

मित्रों ये घटना सभी के सामने हुयी है।
और आज भी कई जगह ऎसी घटनाएं प्रभु करते हैं ऐसा कुछ अनुभव है।
ऐसे-ऐसे लोग हुए हैं इस पावन धरा पर।

तो आईये कथा मे आगे चलते हैं...

अब नरसी मेहता जी गाते गए भजन उधर नरसी के रूप में भगवान कृष्ण श्राद्ध कराते रहे।

यानी की दुकानदार के यहाँ नरसी जी भजन गा रहे हैं और वहां श्राद्ध "कृष्ण भगवान" नरसी जी के भेस में करवा रहे हैं।

जय हो, जय हो वाह प्रभू क्या माया है.....
अद्भुत, भक्त के सम्मान की रक्षा को स्वयं भेस धर लिए।

वो कहते हैं ना की :-

"अपना मान भले टल जाए, भक्त का मान न टलते देखा।

प्रबल प्रेम के पाले पड़ कर, प्रभु को नियम बदलते देखा,

अपना मान भले टल जाये, भक्त मान नहीं टलते देखा।"

तो महाराज सात सौ ब्राह्मणों ने छककर भोजन किया।
दक्षिणा में एक एक अशर्फी भी प्राप्त की।

सात सौ ब्राह्मण आये तो थे नरसी जी का अपमान करने और कहाँ बदले में सुस्वादु भोजन और अशर्फी दक्षिणा के रूप में...
वाह प्रभु धन्य है आप और आपके भक्त।

दुश्त्मति ब्राह्मण सोचते रहे कि ये नरसी जरूर जादू-टोना जानता है।

इधर दिन ढले घी लेकर नरसी जी जब घर आये तो देखा कि मानिक्बाई जी भोजन कर रही है।

नरसी जी को इस बात का क्षोभ हुआ कि श्राद्ध क्रिया आरम्भ नहीं हुई और पत्नी भोजन करने बैठ गयी।

नरसी जी बोले :- 'वो आने में ज़रा देर हो गयी। क्या करता, कोई उधार का घी भी नहीं दे रहा था, मगर तुम श्राद्ध के पहले ही भोजन क्यों कर रही हो?'

मानिक बाई जी ने कहा :- 'तुम्हारा दिमाग तो ठीक है?
स्वयं खड़े होकर तुमने श्राद्ध का सारा कार्य किया।
ब्राह्मणों को भोजन करवाया, दक्षिणा दी।
सब विदा हो गए, तुम भी खाना खा लो।'

ये बात सुनते ही नरसी जी समझ गए कि उनके इष्ट स्वयं उनका मान रख गए।

गरीब के मान को, भक्त की लाज को परम प्रेमी करूणामय भगवान् ने बचा ली।

मन भर कर गाते रहे :-

कृष्णजी, कृष्णजी, कृष्णजी कहें तो उठो रे प्राणी।
कृष्णजी ना नाम बिना जे बोलो तो मिथ्या रे वाणी।।

भक्त के मन में अगर सचमुच समर्पण का भाव
हो तो भगवान स्वयं ही उपस्थित हो जाते हैं.

बोलो सावंरे सेठ की जय...

श्रीकृष्ण भक्त शिरोमणी संत श्री नरसी मेहता की जय..

..जय जय श्री राधे .
💐🌺🌻🌸🌹🌷🍀🍁

સંત તુકારામ

સંત તુકારામ ના પત્ની ખૂબ કર્કશ સ્વભાવ ના અને ઝઘળાડુ હતા. તેને સંતના ભક્તિ ના કામ ગમતાં નહોતા. તેથી વારંવાર સંતને કડવા વચનો કહેતા તેમજ વાસણ કે વેલણ થી પૂજા કરી લેતા!તુકારામજીને રંજ કે ફરિયાદ ન હતી. એક વખત સંત શેરડી નો સાંઠો લાવ્યા પૃસાદ કરી પત્ની ને ખાવા આપ્યો . તેના પત્ની કોઈ ક બાબતે વ્યથિત હશે તેથી આવેશ માં સંતને સાંઠો વાંસામાં ફટકાર્યો. બે કટકા થઈ ગયા. સંત બોલ્યા મને ખબર હતી કે તું મને મૂકી ને એકલી નહીં જ ખાય! એટલે જ બે કટકા કર્યા! શું તારો પ્રેમ ! જોકે મોટા ભાગે ભક્તો, સન્તો ,ફિલસુફો અને વૈજ્ઞાનિકો ના પત્નીઓ કર્કશા હોય છે. કદાચ તેમની સફળતાની પાછળ આરીતે તેમનો હાથ હશે. સોક્રેટિસ અને આઈન્સ્ટાઈન આના જાણીતા ઉદાહરણ છે. ભક્તિના માર્ગ પર જાવ એટલે પરીક્ષા થાય અને પહેલો વિરોધ પોતાનાજ કુટુંબમાં થી થાય.પત્ની ,સંતાનો,ભાઈ બહેનો વિરોધ કરે. પડોશી ,સગા વ્હાલા અને જ્ઞાતિજનો તો છેજ. નરસિમહેતા અને મીરાંબાઈ જાણીતા દાખલા છે.

Tuesday, June 21, 2016

સંતાનની સરખામણી

એક છોકરો એના પિતા સાથે ફરવા માટે નિકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દિકરો બાજુમાં બેઠો હતો. પિતાને એમની આ i10 કાર ખુબ વહાલી હતી.એટલે ખુબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચલાવી રહ્યા હતા.
થોડીવાર પછી એક હોન્ડાસીટી કાર આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. બાજુની સીટ પર બેઠેલા દિકરાએ પિતાને કહ્યુ," પપ્પા, જુઓ જુઓ, આ ગાડી આપણી આગળ નીકળી ગઇ. સતમે બહુ ધીમી ગાડી ચલાવો છો પપ્પા. હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ ગાડીને ઓવરટેક કરી લઇએ." પિતાએ હસતા હસતા કહ્યુ," બેટા એ શક્ય નથી કારણકે આપણી ગાડી કરતા એ ગાડીની કેપેસીટી વધુ સારી છે અને એટલે આપણે આપણી ગાડીનું લીવર ગમે તેટલુ દાબીએ તો પણ આપણે એ કારને ઓવરટેઇક ન કરી શકીએ."
હજુ તો બાપ-દિકરા વચ્ચેની વાત ચાલુ જ હતી ત્યાં એક મર્સીડીસ કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ, "શું પપ્પા તમે પણ આમ ગાડી ચલાવાતા હશે! આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઇ જરા લીવર દબાવો. પપ્પા સાચુ કહુ મને તો એવુ લાગે છે કે તમને ગાડી ચલાવતા આવડતું જ નથી."
પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, " બેટા, મેં તને કહ્યુ તો ખરુ કે જે ગાડી આપણને ઓવરટેઇક કરીને આગળ જતી રહે છે એ બધી જ ગાડીની એન્જીનની ક્ષમતા આપણી ગાડીના એન્જીનની ક્ષમતા કરતા વધુ છે એટલે આપણી આગળ નીકળી જાય એ સ્વાભાવિક છે." પિતા દિકરાને આગળ કંઇ કહે એ પહેલા એક સ્પોર્ટસ કાર આવીને સડસડાટ જતી રહી. દિકરો હવે એમની સીટ પર ઉભો થઇ ગયો. એના પપ્પાને કહ્યુ, " પપ્પા, હવે તો સ્વીકારી લો કે તમને ગાડી ચલાવતા નથી આવડતી. એક પછી એક બધી કાર આપણી કારને ઓવરટેઇક કરીને આગળ નીકળી ગઇ."
પિતાથી ના રહેવાયુ એટલે એ છોકરા પર તાડુક્યા, " શું ક્યારનો મંડી જ પડ્યો છે. હું તને જે સમજાવાનો પ્રયાસ કરુ છુ એમાં તને સમજ નથી પડતી ? તને આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય છે ? આપણા કરતા ઓછી કેપેસીટી વાળી ઘણીબધી ગાડીઓની સાઇડ કાપીને આપણે આગળ નીકળી ગયા. તને એ ગાડીઓ કેમ નથી દેખાતી ? એક વાત સમજી લે, જે ગાડીઓ આપણી આગળ નીકળી રહી છે એ ગાડીઓથી આગળ નીકળવા આપણી ગાડીનું લીવર ગમે તેટલું દાબીએ તો પણ આપણે એની આગળ ન જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને કંઇક નુકસાન થાય."
છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતા કહ્યુ, " પપ્પા, આપ કેટલા સમજુ છો. પપ્પા એક ગાડીની સરખામણી બીજી ગાડી સાથે ન થઇ શકે એ આપ ખુબ સારી રીતે જાણો છો તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યા કરો છો ? હું એની સાઇડ કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે? અને મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું એ તમને કેમ નથી દેખાતુ ? "
મિત્રો, ભગવાને દરેકના ઘરે જુદી-જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે. બીજા કોઇની સાથે આપણા સંતાનોની સરખામણી કરીને એની ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું તો ઉલટાનું આપણી સંતાનરૂપી ગાડીને પણ નુકસાન થશે.

ચાવી અને હથોડી

એક સરદારજી હતા જે તાળાઓની ચાવી બનાવવાનું કામ કરતા હતા. સરદારજીની દુકાનમાં એકદિવસ હથોડી અને ચાવી વાતોએ ચડ્યા. સરદારજી કોઇ કામ સબબ બહારગામ ગયા હતા એટલે હથોડી અને ચાવી સાવ નવરા જ બેઠા હતા. ઘણા સમય પછી આજે નવરાશ મળી એટલે બંને વાતોએ વળગી. વાતો દરમ્યાન ચાવીને એવુ લાગ્યુ કે હથોડી થોડી નિરાશ છે. એમણે હથોડીને જ આ બાબતે પુછ્યુ.

હથોડીએ કહ્યુ, " યાર મને એ જવાબ આપ કે આપણા બંનેમાંથી વધુ શક્તિશાળી અને મોટું કોણ છે?" ચાવીએ તો તુંરત જ જવાબ આપ્યો, "આપ જ મારા કરતા મોટા અને શક્તિશાળી છો. હું તો સાવ નાનકડી છું. આપની સરખામણીમાં મારામાં લોખંડ પણ બહુ ઓછુ વપરાયુ છે. આપ મારા કરતા કદમાં પણ મોટા છો અને મારાથી કેટલાય ગણુ વધુ લોખંડ આપનામાં છે."

હથોડીએ હવે પોતાની હતાશાનું કારણ બતાવતા કહ્યુ, " હું તારા કરતા મોટી અને શક્તિશાળી હોવા છતાય તું જેટલી સરળતાથી તાળાને ખોલી શકે છે એટલી સરળતાથી હું કેમ તાળુ ખોલી શકતી નથી ? હું તો કેટલી વાર સુધી મહેનત કરું ત્યારે માંડ તાળુ તુટે અને ઘણીવાર તો ગમે એટલી મહેનત પછી પણ તુટતુ નથી."

ચાવીએ હથોડીની સામે સ્મિત આપીને કહ્યુ, "દોસ્ત, તું તાળાને ઉપરના ભાગે મારે છે અને હું તાળાની અંદર જઇને પ્રેમથી એના હદય પર મારો હાથ ફેરવું છું એટલે એ ખટાક દઇને બહુ સરળતાથી ખુલી જાય છે."

મિત્રો, લોકોને ખોલવા હોય તો બહારના પ્રયાસો કરવાથી ન ખુલે એ માટે એની અંદર જઇને(એને પુરી રીતે સમજીને) એના હદયને પ્રેમથી સ્પર્શવામાં આવે તો ગમે તેવા માણસનું હદય પણ તાળાની જેમ સરળતાથી ખુલી જાય છે.

Monday, June 20, 2016

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

Must read:- ...શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી કુમુદિની સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટ ો તપાસવા બેસી ગઈ...
કુમુદિનીનો પતિ રાકેશ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક કુમુદિનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

પતિ રાકેશએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :"કુમુદિની શું થયું? કેમ રડે છે ?"

કુમુદિની:"ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને "તમારે શું બનવાની ઇચ્છા છે? "એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહકામ આપ્યું હતું.

રાકેશએ ફરી પૂછ્યું :"ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?"

કુમુદિની:"આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું."

રાકેશએ આશ્ચર્ય સાથે કુમુદીનીને પૂછ્યું :"એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?"

જવાબમાં કુમુદિનીએ કહ્યું:

"તો સાંભળ,આ વિદ્યાર્થીએ 'મારી ઇચ્છા'
એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

"મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.
કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.
તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.
..."ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !"

કુમુદિની નોટમાંથી આ વાંચતી હતી એને રાકેશ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે કુમુદિનીને પૂછ્યું:"હની,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?"

આંખમાં આંસુ સાથે કુમુદીનીએ જવાબ આપ્યો :

આપણો પુત્ર !

" चाय के दो कप "

🙏🏼यह मैसेज जितनी बार पढे उतना कम ही ह ।🙏🏼
🌻🌼🌻🌼🌻🌼🌻🌼🌻🌼🌻🌼🌻🌼
⤵ ⤵ ⤵
एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे
आज जीवन का एक महत्वपूर्ण पाठ पढाने वाले हैं ...

उन्होंने अपने साथ लाई एक काँच की बडी बरनी ( जार ) टेबल पर रखा और उसमें
टेबल टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद समाने की जगह नहीं बची ...
उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई ? हाँ ...
आवाज आई ...
फ़िर प्रोफ़ेसर साहब ने छोटे - छोटे कंकर उसमें भरने शुरु किये धीरे - धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें जहाँ जगह खाली थी , समा गये ,
फ़िर से प्रोफ़ेसर साहब ने पूछा , क्या अब बरनी भर गई है , छात्रों ने एक बार फ़िर हाँ ... कहा
अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले - हौले उस बरनी में रेत डालना शुरु किया , वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई , अब छात्र अपनी नादानी पर हँसे ...
फ़िर प्रोफ़ेसर साहब ने पूछा , क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ
.. अब तो पूरी भर गई है .. सभी ने एक स्वर में कहा ..

सर ने टेबल के नीचे से
चाय के दो कप निकालकर उसमें की चाय जार में डाली , चाय भी रेत के बीच स्थित
थोडी सी जगह में सोख ली गई ...

प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया

इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो ....

टेबल टेनिस की गेंदें सबसे महत्वपूर्ण भाग अर्थात भगवान , परिवार , बच्चे , मित्र , स्वास्थ्य और शौक हैं ,

छोटे कंकर मतलब तुम्हारी नौकरी , कार , बडा़ मकान आदि हैं , और

रेत का मतलब और भी छोटी - छोटी बेकार सी बातें , मनमुटाव , झगडे़ है ..

अब यदि तुमने काँच की बरनी में सबसे पहले रेत भरी होती तो टेबल टेनिस की गेंदों और कंकरों के लिये जगह ही नहीं बचती , या
कंकर भर दिये होते तो गेंदें नहीं भर पाते , रेत जरूर आ सकती थी ...
ठीक यही बात जीवन पर लागू होती है ...

यदि तुम छोटी - छोटी बातों के पीछे पडे़ रहोगे
और अपनी ऊर्जा उसमें नष्ट करोगे तो तुम्हारे पास मुख्य बातों के लिये अधिक समय
नहीं रहेगा ...

मन के सुख के लिये क्या जरूरी है ये तुम्हें तय करना है । अपने
बच्चों के साथ खेलो , बगीचे में पानी डालो , सुबह पत्नी के साथ घूमने निकल जाओ ,
घर के बेकार सामान को बाहर निकाल फ़ेंको , मेडिकल चेक - अप करवाओ ...
टेबल टेनिस गेंदों की फ़िक्र पहले करो , वही महत्वपूर्ण है ... पहले तय करो कि क्या जरूरी है
... बाकी सब तो रेत है ..
छात्र बडे़ ध्यान से सुन रहे थे ..

अचानक एक ने पूछा , सर लेकिन आपने यह नहीं बताया
कि " चाय के दो कप " क्या हैं ?

➡प्रोफ़ेसर मुस्कुराये , बोले .. मैं सोच ही रहा था कि अभी तक ये सवाल किसी ने क्यों नहीं किया ...
इसका उत्तर यह है कि , जीवन हमें कितना ही परिपूर्ण और संतुष्ट लगे , लेकिन
अपने खास मित्र के साथ दो कप चाय पीने की जगह हमेशा होनी चाहिए।

(अगर अच्छा लगे तो अपने ख़ास मित्रों और निकटजनों को यह विचार तत्काल भेजें.... मैंने तो अभी-अभी यही किया है)
🌻आपका - जगदीश महंत🌻

अनुभव जिसने बदल दी आरएसएस के प्रति धारणा

अनुभव जिसने बदल दी आरएसएस के प्रति धारणा

Rahul Kaushik

बीते दिनों मुझे राष्ट्रीय स्वंयसेवक संघ, दिल्ली प्रान्त की तरफ से आयोजित प्रथम वर्ष शिक्षण वर्ग के समापन कार्यक्रम में जाने का अवसर मिला. मैं भाजपा के कार्यक्रमों में तो कई बार गया हूं पर संघ के किसी समारोह में आने का मेरा यह पहला अवसर था. कार्यक्रम एक खुले मैदान में आयोजित था. चूँकि मैदान बड़ा था इसीलिए चारो दिशाओं में टेंट लगा कर एक हिस्सा तैयार किया जहाँ कार्यक्रम हो रहा था.

शिक्षण प्राप्त करने आये स्वंयसेवकों ने अपनी विभिन्न कलाओं का प्रदर्शन किया. उसके बाद मुख्य वक्ता श्री रामेश्वर जी के संबोधन का समय आया. जैसे ही रामेश्वर जी ने अपना संबोधन शुरू किया, जोरदार आंधी-तूफ़ान ने दस्तक दी. चूँकि टेंट चारों दिशाओं में लगा था और हवा पास होने की जगह नहीं मिल रही एक पल को लगा कि कहीं ये टेंट हमारे ऊपर ही न गिर जाये. स्टेज भी साधारण सी बल्लियों से बनाया गया और उसपर भी हवा का बहुत दबाब था. ये सब चंद सेकंड में हुआ, अब मैं तो भागने की फ़िराक में था, क्योंकि ऐसी परिस्थिति तो प्रशिक्षित इवेंट मैनेजर भी स्थिति न सम्हाल पाए तो ये लाठी डंडे, निक्कर पहने,टोपीधारी क्या सम्हाल पाएंगे!

जिस मंच से मुख्य वक्ता संबोधित कर रहे थे वो मंच हिलोरें ले रहा था. मुझे तो लगा कि वक्ता अभी मंच से कूद के भाग लेगा, भला ऐसी भयानक आंधी और लगभग गिरने वाले मंच पर कोई अपनी जान जोखिम में क्यों डालेगा? लेकिन अगले चंद सेकंडों में जो हुआ उसने मेरा दृष्टिकोण बदल के रख दिया. जैसे ही आंधी-तूफ़ान ने अपना रौद्र रूप दिखाना शुरू किया वैसे ही स्वयंसेवक हरकत में आ गये. जो जिस खम्बे के पास बैठा था उसने वहां लगे टेंट के कपड़ों को खम्बों से खोल दिया.

लगभग 20 स्वंयसेवक उस मंच की तरफ दौड़े जो हवा के कारण हिलोरों ले रहा था और जल्दी से चारों तरफ से उस मंच को पकड़ लिया. लोहे की हर पाइप को 6-7 स्वयंसेवक कसकर पकड़े हए थे ताकि मंच को कोई नुकसान न पहुंच पाए. यद्यपि टेंट की व्यवस्था टेंट वालों की रही होगी परन्तु उस समय दूर-दूर तक टेंट हाउस का कोई आदमी नहीं दिख रहा था. कुछ ही क्षणों में उन युवाओ ने टेंट का हर पिलर पकड़ लिया और टेंट के कपड़े खोल दिए जिसकी वजह से हवा का सामूहिक दबाब कम हो गया. ये सब आकस्मिक हुआ.

इस सब में जो सबसे ज्यादा प्रभावित करने वाली बात थी वो यह थी कि संघ के कार्यक्रम के मुख्य वक्ता का व्यवहार. मंच हिलोरों ले के हवा में तैराकी सा कर रहा था, वक्ता के ठीक ऊपर मंच की छत का कपड़ा बांधने के लिए प्रयोग हुआ लोहे का स्तम्भ भी उखड गया था, वो कभी भी उनके ऊपर गिर सकता था. उसके गिरने से शायद उनकी जान भी जा सकती थी.

इस सबके बाद भी न तो वक्ता के एक शब्द में डर का भाव दिखा और न ही उनके चेहरे पे कोई ऐसा चिंता का भाव दिखा. ऐसे ही आंधी-तूफ़ान में वक्ता ने पूरे 40 मिनट संबोधित किया तथा अपने भाषण में आंधी का जिक्र तक नहीं किया. ये अत्यंत विस्मयकारी अनुभव था. किस प्रकार चंद सेकंड में बिना किसी पूर्व नियोजित योजना के स्वंयसेवकों ने भयानक आंधी में कार्यक्रम संपन्न कराया, हर एक स्तम्भ पे 2-2 स्वंयसेवक तन कर खड़े थे, कुछ तो ऊपर चढ़कर लटक गए थे. मुझे डर लग रहा था कि उन में से कोई कहीं गिर न जाए. मंच पर एक व्यक्ति तो लगभग 40 मिनट ऊपर की तरफ हाथ और गर्दन किए उस उखड़े लोहे के स्तम्भ को, कि कहीं वह नीचे गिरने पे वक्ता/मंचासीन व्यक्तियों को न लगे, उसके लिए खड़ा रहा. वो जिस मंच पर खड़ा था, वह हिलोरों ले रहा था. उसे लगभग 25 स्वंयसेवक नीचे से पकडे हुए थे. क्या गज़ब का भरोसा था एक दूसरे पर!

इसी आंधी तूफ़ान में मुख्य वक्ता ने संबोधन के दौरान कहा कि 'राष्ट्रीय स्वयंसेवक संघ व्यक्ति निर्माण की प्रयोगशाला है'. ये लाइन मैंने अनेक संघ के व्यक्तियों से कई बार सुनी तो थी, पर जब उनका मैनेजमेंट देखा तो ये लाइन चरितार्थ सिद्ध हो गयी. क्या गज़ब के व्यक्तियों का निर्माण किया है, मुख्य वक्ता एक बड़े अधिकारी थे और जो स्वयंसेवक उनका मंच सम्हाल रहे थे उनसे उनका कोई व्यक्तिगत परिचय भी नहीं था, ऐसे में अपनी जान को उनके हाथों में दे देना एक विश्वास/भरोसे की कहानी बयाँ करती है जो कि एक स्वयंसेवक का दूसरे स्वयंसेवक के प्रति होता है. जब मैंने ये दृश्य देखा तो मैं आश्वस्त हो गया कि समाज इन स्वंयसेवकों के हाथो में सुरक्षित है.

शायद इसी चरित्र निर्माण, व्यक्ति निर्माण की बात संघ के लोग करते हैं, मैंने स्वयं अनुभव किया तो सोचा आपके साथ साझा करूँ. शायद यही छोटी-छोटी चीज़ें इस संगठन को इतना महान बनाती है. मेरी शुभकामनाएं ऐसे संगठन को, मेरी अपनी इच्छा है कि प्रत्येक व्यक्ति इन स्वंयसेवकों जैसा बने. क्या गज़ब का काम करते हैं, क्या संस्कार देते है बच्चों को ये लोग ... समय मिले तो कभी ऐसे वर्गों का भ्रमण कीजिए आप स्वयं में एक नई स्फूर्ति एवं उर्जा पाएंगे.

સફળતાની યાત્રામાં

2003ના વર્ષની આ વાત છે.
મકરસંક્રાંતિનો દિવસ હતો. અમદાવાદમાં રહેનારા માટે મકારસંક્રાંત એટલે મોજે મોજ. 14 વર્ષનો ધવલ પતંગની મજા માણી રહ્યો હતો. ધવલ ઇલેટ્રિકના થાંભલામાં ફસાયેલી પતંગ ઉતારવા ગયો અને એને શોક લાગ્યો. બહુ ગંભીર રીતે ઘવાયેલા આ છોકરાના બંને હાથ એ હદે દાઝી ગયા હતા કે ડોકટરે બંને હાથને કાપવા પડ્યા.

કોણીનાં નીચેના ભાગેથી બંને હાથ કાપી નાંખ્યા. બધા લોકોને ધવલ પર દયા આવતી હતી. આ છોકરાએ હવે જીવનભર બીજાના સહારે રહેવું પડશે એવું લોકોને લાગતું હતું. નાનો દીકરો પડી ભાંગે એ પહેલા દીકરાને પ્રેરણા અને પ્રોત્સાહનથી નવું જીવન આપવાનો એના મમ્મીએ સંકલ્પ કર્યો.

ધવલ હોસ્પિટલમાં જ હતો. એકદિવસ એના મમ્મી પેન્સિલ અને કાગળ લાવ્યા. બધાને થયું આ કાગળ પેન્સિલની હોસ્પિટલમાં વળી શું જરૂર ? માંએ પથારીમાં પડેલા દીકરાને બળની વાતો કરી અને કપાયેલા બન્ને હાથમાં પેન્સિલ પકડાવી ચિત્રો દોરવા માટે પ્રોત્સાહિત કર્યો. ધવલે સૌથી પહેલા ગણપતિનું એક સામાન્ય ચિત્ર બનાવ્યું. ધવાલના મમ્મીએ ચિત્રના ખુબ વખાણ કર્યા.

મમ્મીના વખાણ સાંભળીને ધવલમાં એક નવી ચેતનાનો સંચાર થયો. લોકો એને અપંગ તરીકે ઓળખે એના બદલે એક સારા ચિત્રકાર તરીકે ઓળખે એવું ધવલ ઈચ્છતો હતો. ધવલે હવે ચિત્રકલાને જ જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. સતત પ્રેક્ટિસ કરતો રહ્યો અને એકથી એક ચડિયાતા ચિત્રો બનાવતો ગયો. આજે ધવલ સારામાં સારો ચિત્રકાર છે. મમ્મી- પપ્પાના સહકાર અને સ્વયંની મહેનતથી એણે એના સ્વપ્નને સાકાર કર્યું. ધવલ એવા અદભૂત ચિત્રો બનાવે છે કે એને જોનારો કોઈ માણસ એ માનવા તૈયાર ના થાય કે આ ચિત્રો જેને હાથ નથી એવા માણસે બનાવ્યા છે.

અમદાવાદનો ધવલ ખત્રી આજે માત્ર ચિત્રકાર જ નહિ ખુબ સારો મોટિવેશનલ સ્પિકર અને ગિટારવાદક પણ છે. એ ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતો પણ મોજથી રમે છે. બીજાના આધારે જીવન જીવવાને બદલે બીજાનો જીવન આધાર બની શકે એવા મકામ પર એ પહોંચી ગયો છે.

મિત્રો, જો પોતાની જાત પર અને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હોય તો કોઈ પ્રકારની શારીરિક તકલીફો સફળતાની યાત્રામાં બાધા બની શકતી નથી.

આર્થર એશ. ટેનિશ

આર્થર એશ. ટેનિશ જગતનું બહું મોટું નામ છે. વિમ્બલ્ડનમાં એ વિશ્વ વિજેતા બનેલો હતો.

1983માં આર્થરને એઇડસ ડીટેક્ટ થયો. એઇડસ માટે એનું અસંયમિત જીવન નહી પણ એના હદયના ઓપરેશન વખતે ચડાવવામાં આવેલું લોહી જવાબદાર હતું. આ એવો સમય હતો કે ત્યારે હજુ એઇડસથી દુનિયા બહું પરિચિત નહોતી. એઇડસના ઉપચાર માટેની યોગ્ય પધ્ધતિઓ કે દવાઓ ઉપલબ્ધ નહોતી.

આર્થર એશ મરણ પથારીએ પડયો. એના લાખો ચાહકો એના માટે ભગવાનને પ્રાર્થના કરતા અને શુભેચ્છાના પત્રો લખતા.

એક ચાહકે પત્ર લખ્યો જેમાં એણે લખ્યુ હતું કે, " તમારે ભગવાનને પ્રશ્ન કરવો જોઇએ કે આ દુનિયામાં કરોડો માણસો વસે છે આવા મહાભયંકર રોગ માટે તમે મને જ કેમ પસંદ કર્યો ?"

આર્થર એશએ તેના આ ચાહકને બહું સરસ જવાબ લખીને મોકલ્યો.

"ભાઇ,
તમારી શુભેચ્છાઓ બદલ આભાર.
તમારા પ્રશ્નના જવાબમાં મારે એટલું જ કહેવું છે કે આ દુનિયામાં લગભગ 5 કરોડ બાળકો ટેનિસ રમવાની શરૂઆત કરે છે તેમાંથી 50 લાખ જેટલા બાળકો ટેનિસ રમી શકે છે.
5 લાખ જેટલા સારું ટેનીસ રમી શકે છે. આ 5 લાખમાંથી 50000 જેટલા પ્રોફેશનલી રમવા સક્ષમ બને છે અને તેમાથી 5000 જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શકે છે.
ગ્રાન્ડ સ્લેમ સુધી તો માંડ 50 પહોંચી શકે. સેમી ફાઇનલમાં 4 ને જ તક મળે અને ફાઇનલમાં 2 જ હોય અને તેમાં પણ વિશ્વવિજેતાનો ખિતાબ તો કોઇ એક ને જ મળે.
મને જ્યારે વિશ્વવિજેતાનો ખીતાબ મળ્યો ત્યારે મે ભગવાનને એવું નહોતું પુછ્યુ કે આ કરોડો લોકોમાંથી વિશ્વવિજેતા બનવા માટે તે મારી જ પસંદગી કેમ કરી ? તો અત્યારે હુ ભગવાનને આવો સવાલ કેમ કરી શકું કે આ રોગ માટે તે મારી જ પસંદગી કેમ કરી?"

સવળી સમજથી દુ:ખોની વચ્ચે પણ સુખની અનુભૂતિ શક્ય છે. મોરારી બાપુના આ શબ્દો યાદ રાખીએ...." આપણી ઇચ્છા મુજબ થાય તો હરીકૃપા અને ઇચ્છા મુજબ ન થાય તો હરીઇચ્છા."

Sunday, June 19, 2016

"મન ભરીને જીવો, મનમાં ભરીને નહી" -

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન
બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે
નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે
અને બહેન પાછળ છે

થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં

રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે
ભાઈ નજીક આવી ને પૂછે છે
"કેમ
તારે કાંઇ લેવુ છે ?"

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું
ભાઈ એ બહેન ની આંગળી પકડી
અને એક વડીલ ની અદા થી
બહેન ને એ ઢીંગલી હાથ મા આપી
બહેન ખુબ જ ખુશ થઇ

કાઉન્ટર પર બેઠેલો વેપારી
આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા
અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો
'આ ઢીંગલી નુ શું છે ?'

"જીવતર ને ઘોળીને પી ગયેલા" એ વેપારી એ કહ્યું
'તમારી પાસે શું છે ?'

બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા
અને કાઉન્ટર પર મુક્યા
પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી
અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા

બાળકે કહ્યું 'કેમ ઓછા છે ?'
વેપારી કહે
'ના આમાંથી તો વધશે'

વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં પણ

એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું
'આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી ?'

વેપારી એ કહ્યું
'ભાઈ, આપણે મન આ છીપલા છે
એને મન તો એની સંપતિ છે
અને
અત્યારે એને ભલે ના સમજાય
પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશ નેે

કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા ત્યાંરે એ મને યાદ કરશે
અને
એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે'

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..

"મન ભરીને જીવો,
મનમાં ભરીને નહી" -

😊😊😊😊😊😊😊


આભાર: ધ્રુવ ત્રિવેદી